ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 10:51 PM, 4 September 2026
1/7
જન્માષ્ટમીના તહેવાર પર લોકો શ્રદ્ધાથી શ્રીકૃષ્ણની પૂજા-અર્ચના કરે છે અને મંદિરોમાં દર્શન માટે ભીડ લાગે છે. પણ એક મહત્વની વાત યાદ રાખવી જોઈએ કે પૂજા કે દર્શન વખતે ક્યારેય ભગવાનની પીઠના દર્શન ન કરવા જોઈએ. એવી માન્યતા છે કે, શ્રીકૃષ્ણની પીઠ પર પાપનો વાસ હોય છે અને તે જોવાથી વ્યક્તિના પાપો વધી જાય છે. આ માન્યતા પાછળ કાલયવન, શ્રીકૃષ્ણ અને રાજા મુચુકુંદની એક પૌરાણિક કથા છે. ચાલો તેના વિષે જાણીએ.
2/7
પુરાણો મુજબ ભગવાન શ્રીકૃષ્ણનું યુદ્ધ જરાસંધ સાથે ચાલી રહ્યું હતું. તે વખતે જરાસંધનો સહયોગી કાલયવન પણ યુદ્ધ કરવા આવ્યો. કાલયવન એવો માયાવી અસુર હતો જેને વરદાન મળ્યું હતું કે યુદ્ધની ભૂમિમાં કોઈ તેને હરાવી ન શકે. તેથી શ્રીકૃષ્ણ તેની સામે યુદ્ધભૂમિ છોડીને ભાગી ગયા અને કાલયવન તેમની પાછળ દોડ્યો. આ ઘટનાને કારણે જ શ્રીકૃષ્ણને રણછોડ નામ મળ્યું હતું.
ADVERTISEMENT
3/7
શ્રીકૃષ્ણ કાલયવનની શક્તિ અને તેના પૂર્વજન્મના પુણ્યથી પરિચિત હતા. તેના પુણ્યનો પ્રભાવ એટલો મોટો હતો કે ભગવાન પણ તેનો અંત કરી શકતા નહોતા. કોઈ વ્યક્તિના પુણ્યનો પ્રભાવ સમાપ્ત થયા પહેલાં ભગવાન તેને દંડ આપતા નથી. આથી તેમને સીધો વધ કરવાને બદલે તેને બીજી દિશામાં લઈ જવાનો માર્ગ પસંદ કર્યો.
4/7
જ્યારે શ્રીકૃષ્ણ ભાગી રહ્યા હતા ત્યારે કાલયવન પાછળથી તેમની પીઠ જોતો રહ્યો. ધાર્મિક માન્યતા મુજબ ભગવાનની પીઠને અધર્મ સાથે જોડવામાં આવે છે અને તે જોવાથી પુણ્ય ઘટી જાય છે. કાલયવને આ ભૂલ કરી અને પોતાના બધા પુણ્ય નષ્ટ કરી દીધા. ત્યારબાદ શ્રીકૃષ્ણ એક ગુફામાં પહોંચ્યા જ્યાં રાજા મુચુકુંદ ગાઢ નિંદ્રામાં સૂતા હતા.
ADVERTISEMENT
5/7
તેમને દેવરાજ ઇન્દ્ર પાસેથી વરદાન મળ્યું હતું કે જે કોઈ તેમને નિંદ્રામાંથી જગાડશે, તે તેમની દૃષ્ટિ પડતાં જ બળીને ભસ્મ થઈ જશે. શ્રીકૃષ્ણે ચુપચાપ પોતાનું એક વસ્ત્ર મુચુકુંદ પર નાખી દીધું. પાછળથી આવેલા કાલયવને તેને જ કૃષ્ણ સમજીને જગાડ્યો. આંખ ખુલતાં જ રાજાની નજર કાલયવન પર પડી અને તે ભસ્મ થઈ ગયો.
6/7
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ