ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / શ્રીકૃષ્ણના ગળામાં રહેલી વૈજયંતી માળાનું રહસ્ય તમે જાણો છો? જાણો રાધા અને લક્ષ્મી સાથેનું કનેક્શન

photo-story

7 ફોટો ગેલેરી

જન્માષ્ટમી 2026 / શ્રીકૃષ્ણના ગળામાં રહેલી વૈજયંતી માળાનું રહસ્ય તમે જાણો છો? જાણો રાધા અને લક્ષ્મી સાથેનું કનેક્શન

Last Updated: 06:19 PM, 4 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શ્રીકૃષ્ણની વૈજયંતી માળા પ્રેમ, ભક્તિ, વિજય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે જેમાં રાધા અને લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. તે નકારાત્મક ઊર્જાથી રક્ષા કરી સકારાત્મકતા અને શાંતિ વધારે છે.

1/7

photoStories-logo

1. વૈજયંતી માળા

જન્માષ્ટમી આવે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની છબી આંખો સામે આવે છે જેમાં માથે મોરપીંછનું મુકુટ, હાથમાં વાંસળી અને ગળામાં વૈજયંતી માળા. આ માળા માત્ર શણગાર નથી પણ તેની પાછળ ઊંડો ધાર્મિક અને આધ્યાત્મિક અર્થ છુપાયેલો છે. આ વૈજયંતી માળા પ્રેમ, ભક્તિ, વિજય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ભક્તિ વચ્ચેનું સંતુલન

આ માળા પ્રકૃતિ અને સાચી ભક્તિ વચ્ચેનું સંતુલન દર્શાવે છે. ‘વૈજયંતી’ શબ્દનો અર્થ જ વિજય આપનારી એવો થાય છે. તે ધારણ કરવાથી જીવનમાં સફળતા મળે અને મનને શાંતિ અનુભવાય તેવી માન્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. ધાર્મિક કથા

ધાર્મિક કથા અનુસાર શ્રીકૃષ્ણના હૃદયમાં રાધારાણીનો વાસ છે. તેથી વૈજયંતી માળાને લક્ષ્મી માતા સાથે પણ જોડવામાં આવે છે. આ પવિત્ર માળામાં લક્ષ્મી તત્ત્વનો વાસ માનવામાં આવે છે અને તે સુખ-સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. વૈજયંતીના છોડ

વૈજયંતીના છોડ બ્રજ ક્ષેત્ર સાથે જોડાયેલા માનવામાં આવે છે. તેના બીમાંથી બનતી માળા કાન્હાને બ્રજ અને રાધારાણીની યાદ અપાવે છે. એટલે જ તે કૃષ્ણના શણગારનો અનિવાર્ય ભાગ બની ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. માળા ધારણ કરવાના લાભ

આ માળા ધારણ કરવાથી મન શાંત રહે, આત્મવિશ્વાસ વધે અને નકારાત્મક ઊર્જાથી રક્ષા થાય તેવી માન્યતા છે. તે સકારાત્મકતા વધારનારી પણ મનાય છે. વ્યક્તિત્વમાં આકર્ષણ વધે છે માન-સન્માન અને સુખ-સમૃદ્ધિ મળે તેવી પણ વાતો કહેવાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ભક્તિ અને વિજયનું પ્રતીક

જન્માષ્ટમીના પર્વ પર કાન્હાના ગળાની આ વૈજયંતી માળા ફક્ત સુંદરતા નહીં પણ ભક્તિ અને વિજયનું પ્રતીક બનીને ભક્તોના મનને શાંતિ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lord Krishna Shri Krishna Vajrayanti mala
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ