બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Travel / પ્રવાસ / તમારા કામનું / માતા વૈષ્ણોદેવીના દર્શને જવાનું વિચારો છો? IRCTCનું આ છે બેસ્ટ અને સસ્તુ ટુર પેકેજ
Last Updated: 08:42 PM, 17 November 2025
Vaishnodevi Darshan: તમે શિયાળાની ઋતુમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો અને ક્યાં જવું તેને લઇને કન્ફ્યૂજ છો, પરંતુ આ ઋતુમાં માતા વૈષ્ણો દેવીના દર્શન કરવાનું આયોજન કરી રહ્યા છો તો આ IRCTC ટૂર પેકેજ તમારા માટે સારુ રહેશે.
ADVERTISEMENT
શિયાળોની ઋતુ ફરવા જવા માટે બેસ્ટ છે. આ સમયે મુસાફરીનો આનંદ અનેરો હોય છે. ઘણા લોકો પર્વતો અને તેમની પસંદગીના અન્ય સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરે છે. કેટલાક ટ્રેન અથવા બસ દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે. જો કે ઘણા લોકો પ્રવાસના ખર્ચ અને ક્યાં રોકાવું તે અંગે ચિંતા કરે છે, જેના કારણે ઘણીવાર તેમની યોજનાઓ મુલતવી રહે છે. આવી સ્થિતિમાં તમે IRCTC ટૂર પેકેજ પસંદ કરી શકો છો.

ADVERTISEMENT
તમે માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા જવા માંગો છો તો નવેમ્બર અથવા ડિસેમ્બર તમારા માટે સારો સમય રહેશે. તમે આઇઆરસીટીસી ટૂર પેકેજ પસંદ કરી શકો છો, જેમાં હોટેલ રહેવાની વ્યવસ્થા અને મુસાફરીનો સમાવેશ થાય છે.
માતા વૈષ્ણો દેવીના દર્શન
ADVERTISEMENT
તમે માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા જવા ઇચ્છુક છો તો આ ટૂર પેકેજ તમારા માટે શ્રેષ્ઠ છે. તેનું નામ MATA VAISHNODEVI EX DELHI (WEEKDAY) (NDR01) છે. આ પેકેજમાં તમને ટ્રેન મુસાફરીનો મોકો મળશે. આ પેકેજ 3 રાત, 4 દિવસની મુસાફરીમાં તમને વૈષ્ણો દેવીના દર્શન અને આસપાસના વિસ્તારોમાં ફરવાની તક મળે છે. આ પેકેજ રવિવારથી ગુરુવાર સુધીનું છે. આ પેકેજમાં 3AC અથવા 2AC કોચમાં મુસાફરીમાં કરવાનો અવસર મળશે. જેમાં ટ્રેનમાં બે રાત અને કટરાની હોટલમાં એક રાત રોકાવાનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT
વૈષ્ણો દેવી ટ્રાવેલ પ્લાન
3AC માં ટ્રિપલ ઓક્યુપન્સી માટે પ્રતિ વ્યક્તિ ભાડું રૂપિયા 6990 છે, અને ડબલ ઓક્યુપન્સી માટે પ્રતિ વ્યક્તિ રૂપિયા 8100 છે. ટ્રેન દિલ્હીથી રાત્રે 8:40 વાગ્યે ઉપડે છે અને સવારે જમ્મુ પહોંચશે. ત્યાંથી તમે નોન-એસી કારમાં કટરા જશો. હોટેલમાં ચેક ઇન કર્યા પછી તમે નાસ્તો કરશો, પછી બાણગંગા માટે રવાના થશો. માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા પછી તમે મોડી રાત્રે હોટેલમાં પાછા ફરશો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃરાતે ઊંઘ નથી આવતી? તો કિડની રોગની નિશાની હોઈ શકે છે, તેને અવગણશો નહીં જાણો કારણ
બપોરે 12 વાગ્યે ચેકઆઉટ કરી લંચ પછી બપોરે 2 કલાકે જમ્મુ રેલ્વે સ્ટેશન માટે રવાના થશો. રસ્તામાં કંડ કંડોલી મંદિર, રઘુનાથ જી મંદિર અને બાગે બહુ ગાર્ડન સુધીના પ્રવાસનું પણ આયોજન કરવામાં આવશે. સાંજે 6:30 વાગ્યે જમ્મુ સ્ટેશન પર પહોંચ્યા પછી તમે રાત્રે 9:25 વાગ્યે દિલ્હી જતી ટ્રેન પકડવી પડશે. સવારે 5:55 વાગ્યે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર પહોંચવાનું આ પેકેજમાં શામેલ છે. તમે આ વિશે વધુ માહિતી IRCTC વેબસાઇટ પર મેળવી શકો છો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Agniveer Result 2026 / ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી રિઝલ્ટ જાહેર, જાણો કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.