ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Those who have the habit of sleeping from the house in the south direction, beware! Direct connection with Mars,
ADVERTISEMENT
ADVERTISEMENT
મંગળને સૌરમંડળનો સૌથી લાલ રંગનો ગ્રહ માનવામાં આવે છે. પૃથ્વીથી તેનું અંતર ખાસ્સું દૂર છે, છતાં તેની સીધી અસર આપણા જીવન પર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળનું ખૂબ મહત્વ છે. તેને ઊર્જા અને શક્તિનું પરિબળ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મંગળને એક ક્રૂર ગ્રહ સ્વરુપે માને છે. આ સાથે તે ગ્રહોના સેનાપતિનો દરજ્જો ધરાવે છે. પૂર્વ-દક્ષિણ દિશા મંગળ સાથે સંબંધિત છે. ત્યારે આજે રાત્રે મંગળનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. મંગળનું આ રાશિ પરિવર્તન તમારી રાશિ પર કેવી અસર કરશે અને મંગળ-દક્ષિણ દિશાનો શું સંબંધ છે તેના વિશે આજે આપણે જાણીશું.
મંગળનો દક્ષિણ દિશા સાથેનો સંબંધ
જ્યોતિષાચાર્ય મુકુંદ પડ્યાંના જણાવ્યા અનુસાર, ઘણા બધા લોકો દક્ષિણના મકાનથી ભયભીત થઈ જતાં હોય છે. હિન્દુ ધર્મ, જ્યોતિષ, વાસ્તુ શાસ્ત્રમાં દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે. આપણે એવું વિચારી છીએ કે ઘરનો મુખ્ય દ્વાર દક્ષિણ દિશાની અંદર ન હોવો જોઈએ. ક્યાંયને ક્યાંક દક્ષિણ દિશામાં પગ રાખીને સૂવું પણ ન જોઈએ. આ બધી વસ્તુઓ અશુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશામાં મોઢુ રાખીને પૂજા પણ ન કરવી જોઈએ. દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. માનસિક સમસ્યા ઉત્પન થાય છે. ભૂલવાની ટેવ ઉત્પન થાય છે. લગ્નની સમસ્યા થશે, દાંપત્ય જીવનમાં ઝઘડા વધી જશે, આર્થિક સમસ્યા થશે, મંગળને લગતી સમસ્યા ઊભી થાય છે. આ દિશાને યમની દિશા કહેવામાં આવે છે.
ADVERTISEMENT
આ લોકોને ફાયદો કરાવશે મંગળ
તેમણે જણાવ્યું કે, આમાં એક વસ્તુ પોઝિટિવ છે. જે વ્યક્તિનો મંગળ સારો હોય અને એમનું મકાન દક્ષિણ દિશામાં હોય તો તેમને સારો ફાયદો થશે. કારણ કે દક્ષિણ દિશાનો સ્વામી મંગળ છે. મંગળ એ ક્રૂર ગ્રહ ગણવામાં આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો