બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:05 AM, 17 August 2026
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા બાબા મહાકાલ મંદિરના ત્રીજા માળે સ્થિત ભગવાન નાગચંદ્રેશ્વર મંદિરના દ્વાર આજે એટલે કે 17 ઓગસ્ટ મધ્યરાત્રિએ ખોલવામાં આવ્યા હતા. આ અનોખું મંદિર વર્ષમાં માત્ર 24 કલાક એટલે કે એક જ દિવસ માટે ખુલે છે. 18 ઓગસ્ટની મધ્યરાત્રિએ તેના દ્વાર ફરીથી બંધ કરી દેવામાં આવશે. નાગ પંચમીના દિવસે મહાકાલેશ્વર મંદિર પરિસરમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળે છે, ત્યારે ભગવાન નાગચંદ્રેશ્વરના દર્શન દ્વારા દિવ્ય આશીર્વાદ મેળવવા ઈચ્છતા ભક્તોમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળે છે.
ADVERTISEMENT
નાગચંદ્રેશ્વરની તપસ્યાથી ખુશ થયા હતા ભોલેબાબા
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના ત્રીજા માળે આવેલું નાગચંદ્રેશ્વર મંદિર વર્ષમાં માત્ર એક જ વાર, નાગ પંચમીના દિવસે ખુલે છે. મધ્યરાત્રિએ ખુલતા આ મંદિરમાં દેવતાના દુર્લભ દર્શન કરવા માટે ભક્તો આખું વર્ષ રાહ જુએ છે. નાગચંદ્રેશ્વર મંદિર સાથે જે માત્ર 24 કલાક માટે ખુલ્લું રહે છે, નાગરાજ તક્ષક દ્વારા કરવામાં આવેલી તપસ્યાની એક પ્રાચીન કથા પણ જોડાયેલી છે. માન્યતા છે કે ભોલે બાબાને પ્રસન્ન કરવા માટે તક્ષકે કઠોર તપસ્યા કરી હતી.
ADVERTISEMENT
ભગવાન શિવે નાગરાજ તક્ષકને અમરત્વનું વરદાન આપ્યું હતું, કારણ કે તેઓ ભગવાનના દિવ્ય સાન્નિધ્યમાં જ રહેવા ઈચ્છતા હતા. તક્ષકની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન મહાકાલે તેમને તે જ સ્થાન પર નિવાસ કરવાનું વરદાન આપ્યું. પરિણામે, આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર, નાગ પંચમીના અવસરે 24 કલાક માટે ખોલવામાં આવે છે. મંદિરના વર્ષમાં એકવાર ખુલવા પાછળનું ચોક્કસ કારણ એ સુનિશ્ચિત કરવાનું છે કે નાગરાજ તક્ષક દેવતાઓ અને મનુષ્યો વચ્ચે કોઈ અવરોધ કે વિઘ્ન ઊભું ન કરે. તેથી, પરંપરા મુજબ મંદિરના દ્વાર માત્ર નાગ પંચમીના દિવસે જ ખોલવામાં આવે છે.

ADVERTISEMENT
ત્રિકાળ પૂજનનો છે વિધાન
નાગચંદ્રેશ્વરની 'ત્રિકાલ પૂજા' કરવાની પરંપરા મંદિરના દ્વાર સૌપ્રથમ ખૂલ્યા ત્યારથી જ ચાલી આવે છે. પ્રથમ વિધિ મહાનિર્વાણી અખાડાના સંતો દ્વારા કરવામાં આવે છે. બીજી વિધિ નાગ પંચમીના દિવસે બપોરે વહીવટીતંત્રનું પ્રતિનિધિત્વ કરતા સરકારી અધિકારીઓ દ્વારા સંપન્ન કરવામાં આવે છે. ત્રીજી વિધિ સાંજે 7:30 વાગ્યે બાબા મહાકાલની આરતી બાદ મંદિર સમિતિ વતી મહાકાલ મંદિરના મુખ્ય પૂજારીઓ દ્વારા કરવામાં આવે છે. અંતે, મધ્યરાત્રિએ બરાબર 12:00વાગ્યે, નાગચંદ્રેશ્વર ધામના દ્વાર ફરી એકવાર આખા વર્ષ માટે બંધ કરી દેવામાં આવે છે.
ADVERTISEMENT
ખૂબ વિશેષ છે મંદિરમાં મૂર્તિ
નાગચંદ્રેશ્વર મંદિરની મૂર્તિ એક અનોખી વિશેષતા ધરાવે છે; તેને 11મી સદીમાં નેપાળથી ઉજ્જૈન લાવવામાં આવી હતી. આ મંદિરનો ઇતિહાસ રાજા ભોજ સાથે જોડાયેલો છે. અહીં ભોલે બાબા માતા પાર્વતી સાથે બિરાજમાન છે અને તેઓ સર્પની શૈયા પર આરામની મુદ્રામાં છે, આ સ્વરૂપ 'શેષ-શૈયા' તરીકે ઓળખાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 22 ઓગસ્ટે બનશે બુધાદિત્ય રાજયોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ, મળશે સફળતા અને ધનલાભ
અહીં ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકેયની મૂર્તિઓ પણ તેમના પરિવારો સાથે સ્થાપિત છે. એવી માન્યતા છે કે માત્ર નાગચંદ્રેશ્વર મંદિરના દર્શન કરવાથી જ સાપનો ભય દૂર થઈ જાય છે. મહિલાઓ અહીં પોતાના ભાઈઓના દીર્ઘાયુષ્ય અને પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરે છે. ભક્તો એવી પણ માન્યતા ધરાવે છે કે અહીં આશીર્વાદ મેળવવાથી 'કાલ સર્પ દોષ'નું નિવારણ થઈ શકે છે. વળી, ભોલે બાબાને સર્પ અત્યંત પ્રિય હોવાથી, નાગ પંચમીના અવસરે મહાકાલના દર્શને આવતા ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થવાની આશાએ નાગચંદ્રેશ્વર મંદિરમાં પણ પૂજા-અર્ચના કરે છે.
ADVERTISEMENT
DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.