બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:40 PM, 15 August 2026
ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરનો ત્રણ વર્ષનો કાર્યકાળ સપ્ટેમ્બરમાં પૂર્ણ થવા જઈ રહ્યો છે. હવે તેમના કાર્યકાળને વધુ એક વર્ષનું એક્સટેન્શન મળશે કે નહીં તેના પર સૌની નજર છે. શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ બાદ BCCI અગરકર સાથે બેઠક કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર આ બેઠકમાં તેમના કાર્યકાળને એક વર્ષ લંબાવવા અંગે ચર્ચા થશે. દરમિયાન રોહિત શર્માના વનડે ભવિષ્યને લઈને BCCI અને પસંદગીકારો વચ્ચે મતભેદના અહેવાલોએ મામલો વધુ રસપ્રદ બનાવ્યો છે.
ADVERTISEMENT
અજીત અગરકરે ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર તરીકે ત્રણ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છે. તેમનો કાર્યકાળ સપ્ટેમ્બર 2026માં પૂરો થવાનો છે. નિયમ મુજબ તેમના કાર્યકાળને વધુ એક વર્ષ માટે લંબાવી શકાય છે. હવે શ્રીલંકા સામેની સિરીઝ પૂર્ણ થયા બાદ BCCI તેમના ભવિષ્ય અંગે ચર્ચા કરી શકે છે.
ADVERTISEMENT
રિપોર્ટ્સ અનુસાર શ્રીલંકા સિરીઝ બાદ BCCIના અધિકારીઓ અગરકર સાથે મુલાકાત કરી શકે છે. આ બેઠકમાં તેમની કામગીરી અને આગળની યોજનાઓ અંગે ચર્ચા થવાની શક્યતા છે. ખાસ કરીને 2027ના વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પસંદગી સમિતિની ભૂમિકા મહત્વની બની શકે છે. આ બેઠક બાદ અગરકરના કાર્યકાળને એક વર્ષનું એક્સટેન્શન મળશે કે નહીં તે સ્પષ્ટ થઈ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અગરકરની પસંદગી સમિતિ અને BCCI વચ્ચે રોહિત શર્માના વનડે કરિયર અંગે મતભેદના અહેવાલો સામે આવ્યા હતા. પસંદગીકારો 2027ના વનડે વર્લ્ડ કપ માટે યુવા ખેલાડીઓને તૈયાર કરવા માંગતા હોવાનું કહેવાય છે. આ દરમિયાન રોહિતને પોતાના વનડે ભવિષ્ય અંગે સંકેત આપવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં રોહિત શર્માએ શરૂઆતની બે મેચમાં 11 અને 26 રન બનાવ્યા હતા. ત્યારબાદ લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી વનડેમાં તેમણે શાનદાર 138 રનની ઇનિંગ રમી હતી. આ સદી બાદ રોહિતના વનડે ભવિષ્યને લઈને ચર્ચાએ ફરી જોર પકડ્યું. તેમના અનુભવને જોતા ટીમમાં તેમની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠ્યા છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નિવૃત્તિ લીધા પછી રોહિત અને કોહલી શું કરશે? અશ્વિને કહી મોટી વાત
રિપોર્ટ્સ અનુસાર ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રોહિત શર્માએ BCCIના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે પસંદગીકારોના નિર્ણય અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હોવાનું કહેવાય છે. લોર્ડ્સમાં સદી અને ત્યારબાદ થયેલી વાતચીતને જોતા રોહિતને વેસ્ટઈન્ડિઝ સામેની ઘરઆંગણે યોજાનારી વનડે સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. હવે અગરકરના કાર્યકાળ અને રોહિતના ભવિષ્ય અંગે BCCI શું નિર્ણય લે છે તેના પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.