બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:41 PM, 14 August 2026
'ગદર'માં તારા સિંહ તરીકે પાકિસ્તાનમાં ધૂમ મચાવનાર સની દેઓલ મોટા પડદા પર પાછા ફર્યા છે, પરંતુ આ વખતે તેમનું પાત્ર સાવ અલગ છે. દેશના ભાગલાની આગ વચ્ચે એક હિન્દુ માતાને બચાવવા માટે તમામ પ્રયાસો કરનાર સિકંદર મિર્ઝા નામના મુસ્લિમ પાત્રની વાર્તા દ્વારા આ ફિલ્મ માનવતાની તાકાતને રજૂ કરે છે.
ADVERTISEMENT
હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે લકીર ખેંચવાને બદલે, ફિલ્મ નિર્માતાઓએ અત્યંત સંતુલિત અને હૃદયસ્પર્શી ફિલ્મ રજૂ કરી છે જે માનવતાને સર્વોપરી ધર્મ તરીકે સ્થાપિત કરે છે. આ ફિલ્મમાં એક પ્રભાવશાળી સંવાદ છે "માતાની સેવા કરવાથી મોટું કોઈ કાર્ય નથી અને માનવતાથી મોટો કોઈ ધર્મ નથી" અને સની દેઓલ તથા શબાના આઝમીએ તેમના શ્રેષ્ઠ અભિનય દ્વારા આ ભાવનાને સબળ રીતે સાકાર કરી છે.
ફિલ્મની કહાની
ADVERTISEMENT
આ ફિલ્મની કહાની દેશના અત્યંત પીડાદાયક ભાગલાની ઘટના પર આધારિત છે, જ્યારે પાકિસ્તાન એક અલગ રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. સની દેઓલ સિકંદર મિર્ઝાનું પાત્ર ભજવે છે, એક એવો મુસ્લિમ જે ભારતને પોતાનું ગૌરવ અને સન્માન માનતો હતો, પરંતુ સંજોગોના કારણે તેણે પોતાના પરિવાર સાથે પાકિસ્તાન જવું પડ્યું. તોફાનીઓએ તેનું ઘર સળગાવી દીધું અને તેના સ્વજનોની હત્યા કરી નાખી, તેમ છતાં મિર્ઝા માત્ર એક જ ધર્મમાં માને છે અને તે છે માનવતા.
પાકિસ્તાન પહોંચ્યા પછી, તેમને એક એવું ઘર ફાળવવામાં આવે છે જેમાં પહેલેથી જ એક હિન્દુ મહિલા રહેતી હોય છે. પાકિસ્તાનીઓ આગ્રહ રાખે છે કે, આ હિન્દુ મહિલાને દિલ્હી મોકલી દેવી જોઈએ. પરંતુ મિર્ઝા તેમ થવા દેવાનો ઇનકાર કરે છે. તેઓ હિન્દુ-મુસ્લિમ ભેદભાવમાં માનતા નથી; તેના બદલે, તેઓ માનવતાનો પક્ષ લે છે. જો તેઓ તે મહિલાને ઘર ખાલી કરાવશે નહીં તો તેમને મારી નાખવામાં આવશે, જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા છતાં, તેઓ પોતાના નિર્ણય પર અડગ રહે છે. પ્રતિકૂળ વાતાવરણ અને તોફાની તત્વોની વચ્ચે તેઓ કેવી રીતે ટકી રહે છે અને અંતે તે મહિલાનું શું થાય છે, આ બધું ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
એક્ટિંગની વાત કરીએ તો...
શબાના આઝમી આ ફિલ્મની મુખ્ય નાયિકા છે, સમગ્ર વાર્તા તેમની આસપાસ જ ફરે છે. તેમણે દરેક દ્રશ્યમાં જીવંતતા ભરી દીધી છે. પછી ભલે તે પોતાના પરિવારની શોધમાં ભટકતી માતાનું પાત્ર હોય, ઘર છોડવાનો ઇનકાર કરતી માતા હોય કે પછી કોઈ મુસ્લિમ પરિવાર દ્વારા અપનાવવામાં આવવાની સફર હોય તેમના દ્રશ્યો અત્યંત હૃદયસ્પર્શી અને ઊંડી અસર કરનારા છે.
ADVERTISEMENT
સની દેઓલ આ ફિલ્મનો પ્રાણ છે તેમાં કોઇ શંકા નથી. આ વખતે તેઓ એક મુસ્લિમ પાત્ર ભજવી રહ્યા છે એવો વ્યક્તિ જે વિપરીત પરિસ્થિતિઓ સામે ઝઝૂમતી વખતે પણ પોતાની માનવતાનો ત્યાગ કરવાનો ઇનકાર કરે છે. ભાવુક દ્રશ્યો હોય કે એક્શન સીન્સ, તેઓ શક્તિશાળી અભિનય રજૂ કરે છે. જોકે, તેમાં 'ગદર'માં જોવા મળેલી તે ખાસ ચમકનો અભાવ છે.
પ્રિતિ ઝિન્ટાએ શાનદાર વાપસી કરી છે, તેણે 'બેગમ'ના પાત્રને ખરેખર સાર્થક કર્યું છે અને શ્રેષ્ઠ અભિનય કર્યો છે.
ADVERTISEMENT
સની દેઓલે તેમના પુત્ર કરણ દેઓલને પણ કામ કરવાની પૂરતી તક આપી છે. ભલે કરણ પાસે બહુ કામ ન હોય, છતાં તે એક-બે દ્રશ્યોમાં પોતાની છાપ છોડવામાં સફળ રહે છે. બીજી તરફ, અલી ફઝલની ભૂમિકા ભલે ટૂંકી હોય, પરંતુ તે ખૂબ અસરદાર છે.
ડાયરેક્શન
ADVERTISEMENT
ભારત અને પાકિસ્તાનના ભાગલા દરમિયાન અનેક ઘટનાઓ બની હતી, તેમ છતાં આ ફિલ્મ માત્ર બે પરિવારોની વાર્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેને ઝીણવટ તથા સંવેદનશીલતા સાથે રજૂ કરે છે. લોકોએ જે વેદના સહન કરી હતી તે જોવી ખરેખર હૃદયદ્રાવક છે. જોકે ફિલ્મનો પ્રથમ ભાગ જેમાં વાર્તાનુ મૂળ છે થોડી સ્લો લાગે છે, પરંતુ બીજા ભાગ સુધીમાં ફિલ્મ સંપૂર્ણ ગતિ પકડી લે છે અને ખૂબ જ સહજતાથી આગળ વધે છે.
મ્યૂઝિક
એ.આર. રહેમાને આ ફિલ્મનું સંગીત તૈયાર કર્યું છે, પરંતુ તેમાંથી એક પણ ગીત એટલું પ્રભાવશાળી નથી કે ફિલ્મ પૂરી થયા પછી પણ લાંબા સમય સુધી યાદ રહી શકે.
આ પણ વાંચોઃ Awarapan 2 Film Review: વાંચો ફિલ્મ 'આવારાપન 2'નો ફર્સ્ટ રિવ્યૂ, ઈમરાન હાશમીએ શિવ પંડિત બની હંગામો મચાવ્યો
કેમ જોવી જોઇએ આ ફિલ્મ?
સની દેઓલ, માતા અને પુત્ર વચ્ચેના અમૂલ્ય સંબંધ અને શબાના આઝમીના શાનદાર અભિનય માટે આ ફિલ્મ ચોક્કસ જુઓ. જો તમે 'ગદર'ના તોફાની અંદાજવાળા સની દેઓલની અપેક્ષા સાથે આ ફિલ્મ જોવા જશો, તો કદાચ તમને તે પસંદ ન આવે. પરંતુ, જો તમે એવી ભાવનાત્મક વાર્તા જોવા માંગતા હોય જે ધર્મ કરતાં માનવતાને વધુ મહત્વ આપે છે, તો આ ફિલ્મ ચોક્કસપણે તમારા હૃદયને સ્પર્શી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.