બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહીસાગરમાં દૂધ વાહન અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત! માતા, દીકરા અને દાદીનું મો*ત
Last Updated: 04:49 PM, 14 August 2026
મહીસાગર જિલ્લામાં લુણાવાડા-સંતરામપુર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોનાં કરુણ મોત થયા છે. દૂધ વાહન અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના માતા, દીકરા અને દાદીનું ઘટનાસ્થળે અથવા સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, મૃતકો દાહોદ જિલ્લાના ફતેપુરાના રહેવાસી હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક (SP)એ પણ સ્થળ પર પહોંચીને સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી.
મૃતકોની વિગત
ADVERTISEMENT
અકસ્મત બાદ રોડ પર લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે અને મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો અને બંને વાહનોની ચોક્કસ સ્થિતિ શું હતી તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ "દશામાનું વ્રત તો વેપાર છે!" વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ફરી સર્જ્યો વિવાદ, ભક્તો બગડ્યા
એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ફતેપુરા સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.