બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / લગ્ન પછીની પહેલી હરિયાળી ત્રીજ? જાણો વ્રત કેવી રીતે રાખવું, પૂજાની વિધિ અને શુભ મુહૂર્ત

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / લગ્ન પછીની પહેલી હરિયાળી ત્રીજ? જાણો વ્રત કેવી રીતે રાખવું, પૂજાની વિધિ અને શુભ મુહૂર્ત

Last Updated: 03:39 PM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Hariyali Teej 2026: હવે, જો તમે પહેલીવાર હરિયાળી તીજનું વ્રત રાખી રહ્યા છે, તો અહીં પૂજાના નિયમો, પૂજાની વિધિ અને પૂજા માટેનો શુભ સમય આપવામાં આવ્યો છે.

1/5

photoStories-logo

1. ક્યારે છે હરિયાળી ત્રીજ?

આવતીકાલ શનિવાર, 15 ઓગસ્ટના રોજ હરિયાળી ત્રીજનો તહેવાર ઉજવવામાં આવશે. શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ આવતો આ તહેવાર પરિણીત મહિલાઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખે છે અને ભગવાન શિવ તથા માતા પાર્વતીની પૂજા-અર્ચના કરે છે, તેઓ અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય જીવન અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કુંવારીકા પણ રાખે છે આ વ્રત

અપરિણીત મહિલાઓ પણ સારા જીવનસાથીની પ્રાપ્તિની કામના સાથે આ વ્રત રાખી શકે છે. હવે, જો તમે પહેલીવાર આ વ્રત રાખી રહ્યા હોય, તો આવો જ્યોતિષી પાસેથી 'હરિયાળી ત્રીજ'ના વ્રતના નિયમો તેમજ આ દિવસે પૂજાના શુભ સમય વિશે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કેવી રાખવુ હરિયાળી ત્રીજનું વ્રત?

જ્યોતિષીઓ વ્રત રાખતી મહિલાઓને વહેલી સવારે ઊઠીને સ્નાન કરવા, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા અને વ્રત પાળવાનો સંકલ્પ કરવાની સલાહ આપે છે. ઘણી મહિલાઓ હરિયાળી તીજ પર 'નિર્જલા' વ્રત રાખે છે. જોકે, જો તમારું સ્વાસ્થ્ય સારું ન હોય, તો તમે માત્ર ફળાહાર કરીને પણ આ વ્રત રાખી શકો છો. આ દિવસે હાથમાં મહેંદી લગાવવી અને લીલા રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. આ પ્રસંગે સોળ શણગાર કરવાની પણ પરંપરા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. હરિયાળી ત્રીજની પૂજા વિધિ

સાંજના સમયે, 'સોળ શણગાર' સજીને ઘરના ઈશાન ખૂણામાં લાકડાનો એક નીચો પાટલો (બાજટ) મૂકો અને તેના પર પીળું વસ્ત્ર પાથરો. પછી તેની પર ભગવાન શિવ અને માતા પાર્વતીની તસવીર અથવા મૂર્તિ સ્થાપિત કરો.સૌપ્રથમ, ભગવાન ગણેશનું ધ્યાન કરો અને પૂજાની સફળ સમાપ્તિ માટે પ્રાર્થના કરો. ત્યારબાદ, ભગવાન શિવ અને માતા પાર્વતીને ફૂલ, ફળ અને મીઠાઈ અર્પણ કરો. ભગવાન શિવને બિલીપત્ર અને જળ અર્પણ કરો, તથા માતા પાર્વતીને શણગારની સામગ્રી અર્પણ કરો. ત્યારબાદ, હરિયાળી ત્રીજની કથા સાંભળો અથવા વાંચો અને અંતે આરતી કરો. પૂજા પછી પરિવારના વડીલોના આશીર્વાદ લો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. હરિયાળી ત્રીજ પૂજાનું શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર, હરિયાળી ત્રીજની તૃતીયા તિથિ શુક્રવાર, 14 ઓગસ્ટના રોજ સાંજે 6:46 વાગ્યે શરૂ થશે અને શનિવાર, 15 ઓગસ્ટના રોજ સાંજે 5:28 વાગ્યે સમાપ્ત થશે. 15ઓગસ્ટના રોજ પૂજા માટેનો સૌથી શુભ સમય સૂર્યોદયથી સવારે 9:08 વાગ્યા સુધીનો રહેશે. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

hariyali teej 2026 vrat niyam puja vidhi shubh muhurat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ