બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / શ્રાવણના પહેલા સોમવારે બિહારના અશોકધામ મંદિરમાં ભાગદોડ, 7 શ્રદ્ધાળુઓના મોત

નેશનલ / શ્રાવણના પહેલા સોમવારે બિહારના અશોકધામ મંદિરમાં ભાગદોડ, 7 શ્રદ્ધાળુઓના મોત

Published By: Jinal Chauhan

Last Updated: 09:37 AM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના લખીસરાય સ્થિત પ્રસિદ્ધ અશોકધામ મંદિરમાં શ્રાવણના સોમવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જળાભિષેક માટે ઉમટેલી ભીડ વચ્ચે ભાગદોડ મચતાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે.

બિહારના લખીસરાય સ્થિત પ્રસિદ્ધ અશોકધામ મંદિરમાં શ્રાવણના સોમવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જળાભિષેક માટે ઉમટેલી ભીડ વચ્ચે ભાગદોડ મચતાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે.મંદિરમાં વહેલી સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શિવના દર્શન અને જળાભિષેક માટે પહોંચ્યા હતા. આ દરમિયાન વીજળીનો તાર પડ્યો અને બેરિકેડિંગ તૂટતાં અચાનક અફરાતફરી સર્જાઈ હતી. લોકો ગભરાઈને દોડવા લાગતાં ભીડમાં અનેક લોકો નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં 12થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

અશોકધામ મંદિરમાં કેવી રીતે સર્જાઈ ભાગદોડ?

ઘટના સમયે અશોકધામ મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા. લોકો જળાભિષેક માટે લાંબી લાઈનમાં ઉભા હતા. અચાનક વીજળીનો તાર પડતાં લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારબાદ બેરિકેડિંગ તૂટતાં ભીડ બેકાબૂ બની અને ભાગદોડની સ્થિતિ સર્જાઈ હતી.

6:40થી 6:45 વાગ્યાની વચ્ચે બની ઘટના

લખીસરાયના ડીએમ શૈલેન્દ્ર કુમારે જણાવ્યું કે સવારે આશરે 6:40થી 6:45 વાગ્યાની વચ્ચે ભીડ વધવાને કારણે મંદિરની એક તરફની બેરિકેડિંગ તૂટી ગઈ હતી. આ તરફ ખેતર આવેલું છે. બેરિકેડિંગ તૂટતાં અનેક લોકો એકબીજા પર પડ્યા હતા અને ગંભીર સ્થિતિ સર્જાઈ હતી.

બે ટ્રેન રોકાતા મંદિર પહોંચ્યા મોટી સંખ્યામાં લોકો

પ્રશાસન તરફથી મંદિર પરિસરમાં ભીડને નિયંત્રિત કરવા માટે વહેલી સવારે 3:30 વાગ્યાથી વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે બે ટ્રેન રોકાતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર તરફ પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં પહેલાથી જ ભીડ હોવાથી અચાનક સ્થિતિ કાબૂ બહાર ગઈ હતી.

vtv app promotion

આ પણ વાંચોઃ રાંચીમાં JPSC-JSSC વિરુદ્ધ વિદ્યાર્થીઓના આંદોલન 23મો દિવસ, રાહુલ-તેજસ્વી પણ નિશાને

7 શ્રદ્ધાળુઓના મોત, 12થી વધુ ઘાયલ

ભાગદોડમાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે લખીસરાય સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.

પોલીસ અને મેડિકલ ટીમો ઘટનાસ્થળે પહોંચી

દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને વહીવટી અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મેડિકલ ટીમો પણ તાત્કાલિક કામે લાગી ગઈ હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે અને મંદિર પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ashoka Dham Temple Sawan Monday Bihar Stampede

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ