બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લોકગાયિકા કિંજલ રબારીએ ખાનગીમાં ફરી લગ્ન કરી લીધા હોવાની ચર્ચા, નજીકના જ લોકો હાજર રહ્યાં
Last Updated: 12:20 PM, 15 August 2026
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીએ ફરી લગ્ન કર્યા હોવાની ચર્ચા સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. રાધનપુરના સનેડા ગામની રહેવાશી કિંજલ રબારીએ ગોતરકા ગામના મુકેશ દેસાઈ સાથે લગ્ન કર્યાં હોવાની ચર્ચા છે. મુકેશ દેસાઈ શિક્ષકની નોકરી કરી રહ્યાં છે. જોકે હજુ સુધી બન્ને તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી.
ADVERTISEMENT
નજીકના સગાંઓને જ આમંત્રણ
આ લગ્ન ખૂબ જ સાદગીપૂર્ણ રીતે નજીકના પરિવારજનો અને સંબંધીઓની હાજરીમાં સંપન્ન થયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે હજુ સુધી કિંજલ રબારીએ આ અંગે મૌન તોડ્યું નથી. હાઇકોર્ટમાં મામલો પહોંચ્યા બાદ 11 ઓગસ્ટે અગાઉના લગ્નના છૂટાછેડાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ત્યારબાદ બંને પરિવારની સંમતિથી આસપાસ પ્રાથમિક વાતચીત થયા બાદ લગ્નનો નિર્ણય લેવાયો હતો.
ADVERTISEMENT
કિંજલના પહેલા લગ્ન અશોક ચૌધરી સાથે થયા હતા
ADVERTISEMENT
કિંજલ રબારીએ અગાઉ આંજણા ચૌધરી સમાજના અશોક ચૌધરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ આંતરજ્ઞાતીય લગ્નને કારણે ભારે વિવાદ સર્જાયો હતો. માર્ચ 2026 માં આ વિવાદ વધુ ગરમાયો હતો અને આખરે કિંજલને છૂટાછેડા લેવાની નોબત આવી હતી. પરિવાર અને સમાજના આગેવાનોની મધ્યસ્થી બાદ કિંજલ પિતાના ઘરે પરત ફર્યા હતા અને બંને વચ્ચેના વિખવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ કિંજલે રાધનપુર ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.