બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સરકારી નોકરી શોધતા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ, માત્ર વોક ઈન ઈન્ટરવ્યુથી થશે પસંદગી
Last Updated: 09:07 AM, 13 August 2026
અરવલ્લી જિલ્લામાં રહેતા અને શિક્ષક તરીકે નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારી તક સામે આવી છે. આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકની પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા આદર્શ નિવાસી શાળા, ભિલોડા અને મેઘરજ ખાતે તાસદીઠ શિક્ષકોની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.
ADVERTISEMENT

આ ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી 14 ઓગસ્ટ 2026ના રોજ વોક-ઇન ઇન્ટરવ્યુ દ્વારા સીધી પસંદગી કરવામાં આવશે. ભરતી સંબંધિત પોસ્ટ, લાયકાત, મહેનતાણું, ઇન્ટરવ્યુનો સમય અને સ્થળ સહિતની તમામ મહત્વની વિગતો નીચે આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ ભરતી પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા જાહેર કરવામાં આવી છે. ભરતી તાસદીઠ શિક્ષકો માટે કરવામાં આવશે. કુલ 3 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. અરજી કરવાની અલગ પ્રક્રિયા નથી અને ઉમેદવારોએ વોક-ઇન ઇન્ટરવ્યુ દ્વારા હાજર રહેવાનું રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી ગુજરાતી માધ્યમ માટેની TAT પરીક્ષા પાસ કરેલા તેમજ વિશેષ લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે.
આ ભરતીમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ ઇન્ટરવ્યુના દિવસે પોતાના તમામ અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો તેમજ તેની પ્રમાણિત નકલો સાથે નિર્ધારિત તારીખ, સમય અને સ્થળ પર ફરજિયાત હાજર રહેવાનું રહેશે. આ ભરતીમાં વોક-ઇન ઇન્ટરવ્યુ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, તેથી સમયસર હાજરી આપવી જરૂરી છે. ભરતીની જાહેરાતની પીડીએફ પણ ઉમેદવારો માટે ઉપલબ્ધ છે, જેથી અરજી પહેલાં તમામ વિગતો ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.