બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રામ મંદિરના CEO માટે ઇન્ટરવ્યૂ શરૂ! પસંદ થયેલા CEOની શું હશે જવાબદારી?

photo-story

9 ફોટો ગેલેરી

નેશનલ / રામ મંદિરના CEO માટે ઇન્ટરવ્યૂ શરૂ! પસંદ થયેલા CEOની શું હશે જવાબદારી?

Last Updated: 04:40 PM, 12 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અયોધ્યાના શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ની નિમણૂક માટે ઈન્ટરવ્યુ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

1/9

photoStories-logo

1. રામ મંદિરના CEO માટે ઇન્ટરવ્યૂ શરૂ! પસંદ થયેલા CEOની શું હશે જવાબદારી?

અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ના પદ માટે પસંદગી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. હાલમાં આ ટોચના હોદ્દા માટે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવી રહ્યા છે. આ પદ માટે દેશભરમાંથી 5300 થી વધુ અરજીઓ આવી હતી, જેમાંથી માત્ર 18 ઉમેદવારોની ઈન્ટરવ્યુ માટે પસંદગી કરવામાં આવી છે. આ ઈન્ટરવ્યુ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વહેલી તકે સીઈઓ તરીકે અંતિમ નામની જાહેરાત કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. કાર્યકાળ, પગાર અને લાયકાતના ધોરણો

ઓફિશિયલ નોટિસ મુજબ, પસંદગી પામનાર CEO નો કાર્યકાળ 3 વર્ષનો રહેશે, જે તેમની કામગીરીના આધારે આગળ વધારી શકાશે. જ્યારે તેમનો પગાર પરસ્પર વાટાઘાટો (Negotiation) ના આધારે નક્કી કરવામાં આવશે. આ પદ માટે 50 થી 70 વર્ષની વયજૂથ ધરાવતા અને ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોય તેવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. ઉમેદવાર પાસે કોઈ મોટા જાહેર સંસ્થા, સરકારી વિભાગ કે કંપનીમાં સંચાલકીય ભૂમિકા (Managerial Role) નો ઓછામાં ઓછો 20 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે. આ સાથે મંદિર કે હિન્દુ ધાર્મિક સંસ્થાના સંચાલનનો અનુભવ ધરાવતા અને સક્રિય હિન્દુ હોય તેવા ઉમેદવારોને પ્રાથમિકતા આપવાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. નોટિસ અનુસાર, ચૂંટાયેલા CEO એ ટ્રસ્ટના કાનૂની, વહીવટી અને નાણાકીય કામકાજની સંપૂર્ણ જવાબદારી સંભાળવાની રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. વહીવટી અને નાણાકીય સંચાલન

સંસ્થાના નિયમો અને કામ કરવાની પદ્ધતિઓ નક્કી કરવી, કર્મચારીઓની દેખરેખ રાખવી તેમજ મુખ્ય વહીવટી અધિકારી તરીકે સંગઠનનું સંચાલન કરવું. આ ઉપરાંત હિસાબો અને નાણાકીય રેકોર્ડમાં પારદર્શિતા જાળવવી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. વહીવટી અને નાણાકીય સંચાલન

સંસ્થાના નિયમો અને કામ કરવાની પદ્ધતિઓ નક્કી કરવી, કર્મચારીઓની દેખરેખ રાખવી તેમજ મુખ્ય વહીવટી અધિકારી તરીકે સંગઠનનું સંચાલન કરવું. આ ઉપરાંત હિસાબો અને નાણાકીય રેકોર્ડમાં પારદર્શિતા જાળવવી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. સુરક્ષા અને સરકારી તંત્ર સાથે તાલમેલ

મંદિર અને ટ્રસ્ટની સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવી અને જરૂર પડે ત્યારે સ્થાનિક, રાજ્ય અને કેન્દ્ર સરકારના વિભાગો સાથે યોગ્ય સમન્વય સાધવો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. ધાર્મિક આયોજન

મંદિરમાં દૈનિક પૂજા-અર્ચના, ધાર્મિક ઉત્સવો અને અન્ય કાર્યક્રમો નિયમિત અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે સુનિશ્ચિત કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. ભક્તો અને વીઆઈપી વ્યવસ્થા

મંદિરે આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા, સુવિધાઓ અને સંતોષનું ધ્યાન રાખવું, તેમજ સમય-સમય પર પધારતા ખાસ મહેમાનો અને સાધુ-સંતો માટે યોગ્ય વ્યવસ્થા કરવી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. મિલકતોની સુરક્ષા અને ભવિષ્યનું આયોજન

રામ મંદિર અને ટ્રસ્ટની સંપત્તિઓનું રક્ષણ કરવું અને નિયમો મુજબ રોકાણ કરવું. રામ મંદિરની પ્રતિષ્ઠા વધારવા અને સનાતન પરંપરાઓને આગળ ધપાવવામાં યોગદાન આપવું.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. ટ્રસ્ટી મંડળના નિર્દેશોનું પાલન

ટ્રસ્ટ ડીડના ઉદ્દેશ્યો પૂરા કરવા માટે યોજનાઓ બનાવવી અને ટ્રસ્ટી મંડળ તથા મહામંત્રીના નિર્દેશ મુજબ સોંપવામાં આવેલા અન્ય તમામ કાર્યો અસરકારક રીતે પૂરા કરવા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AyodhyaRamMandir RamMandirTrust RamMandir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ