ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / secrets of jagannath puri no plane or bird can fly over this temple flag flutters against wind
ADVERTISEMENT
ADVERTISEMENT
જગન્નાથ પુરી ચાર ધામમાંથી એક છે. આ હિન્દુઓનું એક પ્રમુખ તીર્થ સ્થાન છે. અહીંયા આખું વર્ષ ભક્તોની ભીડ રહે છે. આ મંદિરની મહિમા તથા ચમત્કાર દુનિયામાં પ્રસિદ્ધ છે. જાણીએ જગન્નાથ પુરી મંદિર સાથે જોડાયેલા આશ્ચર્યજનક તથ્યો તથા અદ્ભૂત ચમત્કાર વિશે.
ADVERTISEMENT
મંદિરની ઉપરથી નથી ઉડી શકતું કોઈ પણ વિમાન
જગન્નાથ પુરી મંદિર વિશે માન્યતા છે કે તેની દેખરેખ ગરુડ પક્ષી રાખે છે. ગરુડને પક્ષીઓનો રાજા માનવામાં આવે છે. એવામાં અન્ય પક્ષી આ મંદિરની ઉપરથી ઉડતાં નથી. આ ઉપરાંત જગન્નાથ પુરી મંદિરના ઉપરી હિસ્સામાં આઠ ધાતુઓથી બનેલ એક ચક્ર લાગેલું હોય છે જેને નીલચક્ર કહેવામાં આવે છે. માન્યતા છે કે આ ચક્ર મંદિરની ઉપરથી ઉડવા વાળા હવાઈ જહાજોમાં રુકાવટ પેદા કરે છે. એટલા માટે આ મંદિરની ઉપરથી કોઈ પણ વિમાન ઉડી શકતું નથી.
ADVERTISEMENT
હવાની વિપરીત દિશામાં લહેરાય છે ધજા
સામાન્ય રીતે કોઈ પણ ધજા હવાને અનુકુળ લહેરાતી હોય છે, પરંતુ આ મંદિરનાં શીર્ષ પર લાગેલી ધજા હવાની વિપરીત દિશામાં લહેરાય છે. ધજાના આ રહસ્યોને લઈને વૈજ્ઞાનિકો પણ હેરાન છે.

ADVERTISEMENT
મંદિરનો પ્રવેશ દ્વાર છે અદ્ભુત
જગન્નાથ પુરી મંદિરમાં ચાર દરવાજા છે. મુખ્ય દ્વારને સિંહદ્વારમ કહેવાય છે. કહેવાય છે કે આ દ્વારથી મંદિરના પ્રવેશ દ્વાર પર સમુદ્રની લહેરોનો અવાજ સંભળાય છે પરંતુ મંદિરમાં પ્રવેશ કરતાંની સાથે જ લહેરોનો અવાજ સંભળાવવાનું બંધ થઇ જાય છે.
ଜୟ ଜଗନ୍ନାଥ 🙏🏻🙏🏻🙏🏻#JaiJagannatha pic.twitter.com/LfNYYHUHbK
— Shree Jagannatha Temple Office, Puri (@SJTA_Puri) January 3, 2022
ADVERTISEMENT
પ્રસાદ બનાવવાની છે અનોખી પરંપરા
ભક્તો માટે પ્રસાદ તૈયાર કરવા માટે મંદિરના રસોડામાં 7 વાસણને ઉપરા-ઉપરી રાખવામાં આવે છે. સૌથી ઉપરના ભાગે રાખવામાં આવેલ વાસણમાં રહેલ પકવાન પહેલા રંધાય છે ત્યારબાદ અન્ય વાસણોમાં રહેલ પ્રસાદ રંધાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો