ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Food and Recipe / રાજસ્થાની ‘પાણીવાળું મરચાંનું અથાણું’ ઘરે બનાવો, 3-4 દિવસમાં થઇ જશે તૈયાર

રેસિપી / રાજસ્થાની ‘પાણીવાળું મરચાંનું અથાણું’ ઘરે બનાવો, 3-4 દિવસમાં થઇ જશે તૈયાર

Published By: Jinal Chauhan

Last Updated: 10:39 AM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનનું પાણીવાળું મરચાંનું અથાણું સ્વાદમાં ચટાકેદાર અને બનાવવામાં એકદમ સરળ છે. ખાસ વાત એ છે કે આ અથાણું બનાવવા માટે તેલની એક પણ ટીપાની જરૂર પડતી નથી.

ADVERTISEMENT

જો તમને મસાલેદાર અને ખાટું અથાણું પસંદ છે તો આ રાજસ્થાની રેસિપી એકવાર જરૂર ટ્રાય કરવી જોઈએ. આ અથાણું મરચાં અને મસાલાઓને પાણીમાં ફર્મેન્ટ કરીને બનાવવામાં આવે છે. તેથી તેનો સ્વાદ સામાન્ય અથાણાથી થોડો અલગ અને ખાસ હોય છે. સૌથી સારી વાત એ છે કે આ અથાણું માત્ર 3થી 4 દિવસમાં તૈયાર થઈ જાય છે.

રાજસ્થાની પાણીવાળું મરચાંનું અથાણું કેમ છે ખાસ?

સામાન્ય રીતે અથાણું બનાવવા માટે મોટી માત્રામાં તેલનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ રાજસ્થાની પાણીવાળા મરચાંના અથાણામાં તેલનો ઉપયોગ થતો નથી. મરચાંને મસાલા અને પાણી સાથે ફર્મેન્ટ કરવામાં આવે છે. જેના કારણે તેમાં ખાટો અને ચટાકેદાર સ્વાદ આવે છે. આ અથાણું ભોજન સાથે પીરસી શકાય છે અને તેનું મસાલેદાર પાણી પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

Rajasthani Mirchi Pickle (1)

મરચાંનું અથાણું બનાવવા માટે શું જોઈએ?

આ અથાણું બનાવવા માટે લગભગ 500 ગ્રામ તાજાં અને ઓછી તીખાશવાળાં મરચાં લો. સાથે બારીક રાઈ, વરિયાળી, મેથીના દાણા, શેકેલું જીરું, હળદર, હિંગ અને સ્વાદ અનુસાર મીઠું જોઈએ. અથાણામાં ખટાશ લાવવા માટે સફેદ સરકો પણ ઉમેરવામાં આવે છે. મસાલાઓને થોડા દરદરા રાખવાથી અથાણાનો સ્વાદ વધુ સારો આવે છે.

Rajasthani Mirchi Pickle (2)

મરચાંને આ રીતે કરો તૈયાર

સૌથી પહેલા મરચાંને સારી રીતે ધોઈને સાફ કપડાથી સુકવી લો. હવે એક વાસણમાં પાણી ઉકાળો અને તેમાં મરચાં નાખીને ગેસ બંધ કરી દો. વાસણને ઢાંકીને મરચાંને લગભગ 10 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ મરચાંને બહાર કાઢી લો. ધ્યાન રાખો કે મરચાંના ડાંઠા દૂર કરવાના નથી.

vtv app promotion

આ પણ વાંચોઃ તહેવારો પૂર્વે ખાદ્યતેલોની આયાત વધતાં દસ મહિનાનો રેકોર્ડ તૂટ્યો

મસાલો ભરીને પાણીમાં રાખો

હવે દરેક મરચામાં લંબાઈની તરફથી હળવો ચીરો લગાવો. તૈયાર કરેલો દરદરો મસાલો મરચાંની અંદર ભરી દો. ત્યારબાદ આ મરચાંને સ્વચ્છ કાચની બરણીમાં મૂકો. હવે જે પાણીમાં મરચાંને ગરમ કરવામાં આવ્યા હતા તે જ પાણી બરણીમાં ઉમેરો. તેમાં બે ચમચી સફેદ સરકો નાખીને બરણીને સ્વચ્છ સૂતરના કપડાથી ઢાંકી દો.

3થી 4 દિવસમાં તૈયાર થશે અથાણું

મરચાં ભરેલી બરણીને 3થી 4 દિવસ માટે સારી ધૂપમાં રાખો. આ દરમિયાન મરચાં પાણી અને મસાલા સાથે ફર્મેન્ટ થશે. જ્યારે રાઈના દાણા ઉપર તરતા જોવા મળે ત્યારે સમજવું કે તમારું પાણીવાળું મરચાંનું અથાણું તૈયાર છે. અથાણું તૈયાર થયા બાદ તેને ફ્રિજમાં રાખવું જોઈએ. સ્વચ્છ ચમચાનો ઉપયોગ કરીને કાઢશો તો તેને લાંબા સમય સુધી સાચવી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pani Wala Achar Rajasthani Mirchi Pickle, Oil Free Pickle

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ