ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી, રોહિણી નક્ષત્રમાં થશે કાન્હાનો જન્મ; જાણો નિશીથ પૂજા અને જન્મોત્સવનું શુભ મુહૂર્ત!
8 ફોટો ગેલેરી
Last Updated: 01:12 PM, 3 September 2026
1/8
આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર અનેક રીતે ખાસ માનવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમીના દિવસે અષ્ટમી તિથિ સાથે રોહિણી નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. મથુરામાં રાત્રિના સમયે નિશીથ કાળ દરમિયાન કાન્હાના જન્મોત્સવની વિશેષ પૂજા કરવામાં આવશે. જાણો જન્માષ્ટમીની તારીખથી લઈને પૂજા મુહૂર્ત અને દહીં હાંડી સુધીની સંપૂર્ણ માહિતી.
2/8
વર્ષ 2026માં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી 4 સપ્ટેમ્બર શુક્રવારે ઉજવવામાં આવશે. આ દિવસે ભક્તો ભગવાન શ્રીકૃષ્ણ માટે વ્રત રાખશે અને દિવસભર ભક્તિ તથા પૂજા કરશે. ઘરો અને મંદિરોમાં બાળ ગોપાલની સુંદર ઝાંખીઓ સજાવવામાં આવશે. અનેક સ્થળોએ ભગવાન કૃષ્ણને પાલનામાં ઝુલાવવાની અને વિશેષ શણગાર કરવાની પરંપરા પણ નિભાવવામાં આવશે.
ADVERTISEMENT
3/8
ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરામાં જન્માષ્ટમીની ઉજવણી ખાસ ભવ્ય હોય છે. પંચાંગ અનુસાર મથુરામાં 4 સપ્ટેમ્બરની રાત્રે નિશીથ પૂજાનો સમય રાત્રે 11:56થી 12:41 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણના જન્મની વિશેષ પૂજા કરવામાં આવશે. અભિષેક અને આરતી બાદ ભક્તો જન્મોત્સવની ઉજવણી કરશે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ મધરાતે થયો હોવાથી આ સમયને જન્માષ્ટમીની પૂજા માટે ખાસ મહત્વ આપવામાં આવે છે.
4/8
શ્રીકૃષ્ણના જન્મ સાથે રોહિણી નક્ષત્રનું વિશેષ ધાર્મિક મહત્વ જોડાયેલું છે. આ વર્ષે જન્માષ્ટમીના દિવસે રોહિણી નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. પંચાંગ ગણતરી પ્રમાણે 4 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 11:04 વાગ્યા સુધી રોહિણી નક્ષત્ર રહેશે. જ્યારે અષ્ટમી તિથિ રાત્રે લગભગ 12:13 વાગ્યા સુધી રહેવાની માહિતી છે. આ કારણે જન્માષ્ટમીના દિવસે અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રનો સંયોગ ખાસ માનવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
5/8
જન્માષ્ટમીના દિવસે ઘણા ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સુધી ઉપવાસ રાખે છે. મથુરાની પંચાંગ ગણતરી પ્રમાણે 5 સપ્ટેમ્બરે સૂર્યોદય બાદ સવારે 6 વાગ્યા પછી વ્રતનું પારણું કરી શકાય છે. જોકે વ્રત ખોલવાનો સમય અલગ-અલગ પરંપરા અને પંચાંગ પ્રમાણે બદલાઈ શકે છે. તેથી વ્રત રાખનારા ભક્તોએ પોતાના સ્થાનિક પંચાંગ અને પરિવારની પરંપરા પ્રમાણે પારણું કરવું યોગ્ય રહેશે.
6/8
જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે 5 સપ્ટેમ્બર શનિવારે દહીં હાંડી અને નંદોત્સવ ઉજવવામાં આવશે. ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલાઓમાં માખણ ચોરીની લીલા ખૂબ પ્રસિદ્ધ છે. આ જ પરંપરાની યાદમાં અનેક સ્થળોએ ઊંચાઈ પર દહીંથી ભરેલી માટલી બાંધવામાં આવે છે. ગોવિંદાની ટોળીઓ માનવ પિરામિડ બનાવીને માટલી ફોડે છે. બ્રજ વિસ્તારમાં ભગવાન કૃષ્ણના જન્મની ખુશીમાં નંદોત્સવ પણ ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
ADVERTISEMENT
7/8
આ વર્ષની જન્માષ્ટમીનું સૌથી મોટું ખાસિયત એ છે કે 4 સપ્ટેમ્બરે અષ્ટમી તિથિ સાથે રોહિણી નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. રાત્રે નિશીથ કાળમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની વિશેષ પૂજા થશે. મથુરા અને વૃંદાવન સહિત બ્રજ વિસ્તારમાં મંદિરોમાં વિશેષ સજાવટ કરવામાં આવશે. ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો સાથે રાત્રે કાન્હાના જન્મની ખુશી મનાવવામાં આવશે.
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ