ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT

ADVERTISEMENT
પિઝા,પાસ્તા જેવા પ્રોસેસ્ડ ફુડમાં રહેલા વિવિધ એસિડથી બાળકના ન્યુરો સ્ટેમ સેલ પર અસર થાય છે. નેચર જર્નલમાં પ્રસિધ્ધ આ રિસર્ચમાં જણાવાયું છે કે વધુ પડતા એસિડિક પદાર્થોથી મગજના કોષ એટલે કે ન્યુરોનની સંખ્યા ઘટે છે. ઓટીઝમ એવી બિમારી છે જેમાં બાળકોને કમ્યુનિકેશનમાં મુશ્કેલી પડે છે.
બાળકો એકની એક ક્રિયા વારંવાર કરતા રહે છે. આવા બાળકોની વર્તણુંક માતા-પિતા માટે ચિંતાનો વિષય બને છે. પિઝા,પાસ્તા વગેરેના સોસ સહિતની સામગ્રીમાં પ્રિઝર્વેટીવ્સ અને પ્રોપીઓનિક એસિડ (પીપીઓ)નું ઉંચુ પ્રમાણ ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ રુંધે છે. આવ જંકફુડ આમ પણ તમામ વયના લોકોના આરોગ્ય માટે હાનિકારક છે પરંતુ નવા સંશોધને દર્શાવ્યું છે કે પ્રેગનન્સીમાં મહિલાએ આવા ફુડથી દુર જ રહેવું જોઇએ.
ADVERTISEMENT

ભારતમાં સામાન્ય રીતે દરેક રાજયમાં પ્રેગનન્સીમાં તાજો અને આરોગ્યપ્રદ ઘરમાં બનતો ખોરાક ખાવાની પરંપરા છે, જોકે શહેરોમાં હવે મહિલાઓ પ્રેગનન્સી વખતે પણ જંકફુડનો ચટાકો કરવાની લાલચ રોકી શકતી નથી. આવી મહિલાઓ માટે આ નવું રીસર્ચ લાલ બત્તી સમાન છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો