બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:32 PM, 16 August 2025
આજના જમાનામાં લોકો જાડિયા થતાં જાય છે અથવા તો પેટ બહાર આવી જતું હોય છે અને શરીર પર નકામી ચરબીના થર જામતાં હોય છે. શરીર પર ચરબીના નકામા થર હાર્ટ એટેક, બ્લડ સુગર અને મેદસ્વિતા જેવી બીમારીઓને આમંત્રણ આપે છે પરંતુ હવે ડરવાની જરુર નથી. એક નાનકડાં ઉપાયથી આવી મોટી મોટી બીમારીઓને દૂર રાખી શકાય છે.
ADVERTISEMENT
10 ટકા ઓછું વાપરો ખાવાનું તેલ
ઘરમાં વપરાતી એક ખાસ ચીજ મોટી મોટી બીમારીઓને દૂર રાખી શકે છે આવું કોઈ ડોક્ટરે નહીં પરંતુ પીએમ મોદીએ તેમના આઝાદીના ભાષણમાં કહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે મોટી મોટી બીમારીઓને જન્મ આપતી ફાલતુ ચરબી કે મેદસ્વિતા ઘટાડવા માટે રસોઈ તેલના ઉપયોગમાં 10 ટકાનો ઘટાડો કરી નાખો. પ્રધાનમંત્રી મોદી કહે છે કે સ્થૂળતા ઘટાડવા માટે, આજથી જ ખાતરી કરો કે ઘરમાં આવનાર રસોઈ તેલનો ઉપયોગ 10 ટકા ઓછો થાય. તેલયુક્ત ખોરાકમાં સંતૃપ્ત અને ટ્રાન્સ ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જે વજન વધારે છે, કોલેસ્ટ્રોલ વધારે છે અને હૃદયની સમસ્યાઓનું કારણ બને છે.
ADVERTISEMENT
વધુ પડતા તેલને બદલે શું કરવું
ADVERTISEMENT
વધુ પડતા તેલનો ઉપયોગ કરવાને બદલે, આપણે એવી રસોઈ પદ્ધતિઓ અજમાવી શકીએ છીએ જે સ્થૂળતામાં વધારો કરતી નથી. ખોરાકને બાફવો કે ઉકાળીને ખાવો વધારે સારો છે. આ ઉપરાંત, ખોરાકમાં વધુને વધુ ઘરે બનાવેલા ખોરાકનો સમાવેશ કરીને, અનાજ, ફળો, કઠોળ અને શાકભાજી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.