અમરનાથ યાત્રા પર જતા શ્રદ્ધાળુઓની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. અમરનાથ ધામની યાત્રા હિન્દુ શ્રદ્ધાળુઓ માટે ખુબ જ મહત્વ ધરાવે છે. જમ્મૂ કાશ્મીરની ખીણમાં હાજર અમરનાથ ધામ જવા માટે ભગવાન શિવના ભક્તો વર્ષ આખુ રાહ જોતા હોય છે.આ વર્ષની યાત્રા શરૂ થઇ ચૂકી છે.
અમરનાથની યાત્રા માટે 13 વર્ષથી 74 વર્ષની ઉંમરના લોકો જઇ શકે છે. જો તમે પણ અમરનાથની યાત્રા પર જઇ રહ્યા છો તો કેટલીક વાતોનું ધ્યાન જરૂર રાખવું, જેથી તમારી યાત્રા સુખદ બને. અહીં જાણીએ કે અમરનાથ યાત્રા દરમિયાન કઇ વાતનું ધ્યાન રાખવું.
અમરનાથ યાત્રા પર જતા પહેલા રોજ કસરત કરવી અને યોગ કરવા. ઉપરાંત યાત્રા દરમિયાન પહેરવા યોગ્ય કપડાની પસંદગી કરવી. સલવાર કમીઝ અથવા ટ્રેક સૂટ વધારે પહેરવા. સાથે જ ગરમ કપડા પણ જરૂર લઇ જવા જોઇએ.
યાત્રા માટે જતા પહેલા ફુટવિયરનું ધ્યાન રાખવું. સ્લીપર પહેરીને ન જવું જોઇએ. યાત્રા દરમિયાન ટ્રેકિંગ શૂઝ ન પહેરવા. સાતે જ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
યાત્રા પહેલા મેડિકલ ચેકઅપ જરૂર કરવો. એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે યાત્રા દરમિયાન ગર્ભવતી મહિલાને સાથે ન લઇ જવી જોઇએ.