બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / અજબ ગજબ / know about chirahula rewa hanuman temple

ના હોય! / 500 વર્ષ જૂના મંદિરમાં હનુમાન દાદા જ છે જજ: મંદિરની અંદર જ છે 'હાઇકોર્ટ' અને 'સુપ્રીમ કોર્ટ'

Vishal Khamar

Last Updated: 11:02 AM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમતો હનુમાનજી તેમના ભક્તોની ફરિયાદો ખૂબ જ ઝડપથી સાંભળે છે અને તેમના કષ્ટોનું નિવારણ પણ કરે છે. હનુમાનજીની આ મહિમાનો પુરાવો રજુ કરે છે રીવા ચિરહુલા મંદિર. જ્યાં હનુમાનજીની કોર્ટ ભરાય છે. જાણો તેના વિશે

  • અહીં આવેલું છે હનુમાનજીનું ખાસ મંદિર 
  • ભરાય છે હનુમાનજીની કોર્ટ 
  • જજ બને છે પવન પુત્ર હનુમાન 

હનુમાનજી અમર છે. ધરતી પર જેટલા પણ અવતાર થયા તેમાં હનુમાનજી, દત્તાત્રેય અને પરશુરામજી અમર છે. હનુમાનજીને કળયુગના દેવતા પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે બજરંગ બલિ પોતાના ભક્તોની મનોકામનો જલ્દી સાંભળે છે. આજ કારણ છે કે કરોડોની સંખ્યામાં લોકો તેમની પૂજા કરે છે. 

આમ તો બજરંગ બલિના દરેક મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ હોય છે પરંતુ રીવા શહેરના ચિરહુલામાં સ્થિત ભગવાન બજરંગબલીની એવી માન્યતા છે કે અહીં દર મંગળવાર અને શનિવારે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ હોય છે. એવી માન્યતા છે કે અહીં ભગવાનની કોર્ટ ભરાય છે. હનુમાનજી પોતે અહી ન્યાય કરે છે. 

અહીં ભરાય છે હનુમાનજીની કોર્ટ 
રીવા સ્થિત ચિરહુલા મંદિરમાં લોકોને એટલી શ્રદ્ધા છે કે કેટલાક ભક્તો દર શનિવાર અને મંગળવારે અહીં હનુમાનજીના દર્શન કરવા આવતા હોય છે. કહેવાય છે કે અહીં હનુમાનજીનો દરબાર ભરાય છે. કોર્ટના ન્યાયાધીશ પોતે હનુમાનજી છે. 

માન્યતાઓ અનુસાર આ મંદિરમાં 500 વર્ષ પહેલા બજરંગબલીની સ્થાપના કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે હનુમાનજીની સ્થાપના ચિરૌલ દાસ બાબાએ કરી હતી. તેમના નામ પરથી મંદિરનું નામ ચિરહુલા નાથ રાખવામાં આવ્યું હતું. વાસ્તવમાં આ મંદિર ચિરહુલા તળાવના કિનારે સ્થાપિત છે.

ચિરહુલા મંદિરમાં છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ
ચિરહુલા મંદિરને હનુમાનજીની જિલ્લા અદાલત કહેવામાં આવે છે. જ્યારે રામસાગર મંદિર પાસે આવેલા હનુમાનજીનું મંદિર હાઈકોર્ટ કહેવાય છે. આ મંદિરથી આગળ વધતાં ત્યાં આવેલું હનુમાનજીનું મંદિર સુપ્રીમ કોર્ટ કહેવાય છે. એવું કહેવાય છે કે જે ભક્તોના કષ્ટોનું નિવારણ જિલ્લા કોર્ટ દ્વારા દૂર કરવામાં આવતું નથી, તેમની સુનાવણી હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં થાય છે. 

આ પછી શ્રદ્ધાળુઓ પોતાની ફરિયાદ લઈને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પહોંચે છે. માન્યતાઓ અનુસાર અહીં આવનાર દરેક ભક્તની પીડા દૂર થઈ જાય છે. તમને જણાવી દઈએ કે આ ત્રણેય મંદિર એક જ દિશામાં આવેલા છે. જ્યારે પણ ચિરહુલા મંદિરમાં કોઈ ભક્તની ઈચ્છા પૂરી થાય છે, ત્યારે તે રામચરિત માનસનો પાઠ કરે છે અને ભંડારાનું આયોજન કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ