બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:02 AM, 23 April 2024
ADVERTISEMENT
હનુમાનજી અમર છે. ધરતી પર જેટલા પણ અવતાર થયા તેમાં હનુમાનજી, દત્તાત્રેય અને પરશુરામજી અમર છે. હનુમાનજીને કળયુગના દેવતા પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે બજરંગ બલિ પોતાના ભક્તોની મનોકામનો જલ્દી સાંભળે છે. આજ કારણ છે કે કરોડોની સંખ્યામાં લોકો તેમની પૂજા કરે છે.
આમ તો બજરંગ બલિના દરેક મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ હોય છે પરંતુ રીવા શહેરના ચિરહુલામાં સ્થિત ભગવાન બજરંગબલીની એવી માન્યતા છે કે અહીં દર મંગળવાર અને શનિવારે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ હોય છે. એવી માન્યતા છે કે અહીં ભગવાનની કોર્ટ ભરાય છે. હનુમાનજી પોતે અહી ન્યાય કરે છે.
ADVERTISEMENT

અહીં ભરાય છે હનુમાનજીની કોર્ટ
રીવા સ્થિત ચિરહુલા મંદિરમાં લોકોને એટલી શ્રદ્ધા છે કે કેટલાક ભક્તો દર શનિવાર અને મંગળવારે અહીં હનુમાનજીના દર્શન કરવા આવતા હોય છે. કહેવાય છે કે અહીં હનુમાનજીનો દરબાર ભરાય છે. કોર્ટના ન્યાયાધીશ પોતે હનુમાનજી છે.
ADVERTISEMENT
માન્યતાઓ અનુસાર આ મંદિરમાં 500 વર્ષ પહેલા બજરંગબલીની સ્થાપના કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે હનુમાનજીની સ્થાપના ચિરૌલ દાસ બાબાએ કરી હતી. તેમના નામ પરથી મંદિરનું નામ ચિરહુલા નાથ રાખવામાં આવ્યું હતું. વાસ્તવમાં આ મંદિર ચિરહુલા તળાવના કિનારે સ્થાપિત છે.

ADVERTISEMENT
ચિરહુલા મંદિરમાં છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ
ચિરહુલા મંદિરને હનુમાનજીની જિલ્લા અદાલત કહેવામાં આવે છે. જ્યારે રામસાગર મંદિર પાસે આવેલા હનુમાનજીનું મંદિર હાઈકોર્ટ કહેવાય છે. આ મંદિરથી આગળ વધતાં ત્યાં આવેલું હનુમાનજીનું મંદિર સુપ્રીમ કોર્ટ કહેવાય છે. એવું કહેવાય છે કે જે ભક્તોના કષ્ટોનું નિવારણ જિલ્લા કોર્ટ દ્વારા દૂર કરવામાં આવતું નથી, તેમની સુનાવણી હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં થાય છે.
આ પછી શ્રદ્ધાળુઓ પોતાની ફરિયાદ લઈને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પહોંચે છે. માન્યતાઓ અનુસાર અહીં આવનાર દરેક ભક્તની પીડા દૂર થઈ જાય છે. તમને જણાવી દઈએ કે આ ત્રણેય મંદિર એક જ દિશામાં આવેલા છે. જ્યારે પણ ચિરહુલા મંદિરમાં કોઈ ભક્તની ઈચ્છા પૂરી થાય છે, ત્યારે તે રામચરિત માનસનો પાઠ કરે છે અને ભંડારાનું આયોજન કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.