બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / વડોદરાના સમાચાર / માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપનો ઉમેદવાર જાહેર, જાણો કોણ છે સતીષ પટેલ?
Last Updated: 10:09 PM, 9 July 2026
Vadodara News: વડોદરાની માંજલપુર વિધાનાસભાની પેટાચૂંટણીના ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. બીજેપીએ આ બેઠક પર સતીષ પટેલને ઉતાર્યા છે. આ બેઠક પર પેટાચૂંટણીનું 30 જુલાઈએ મતદાન યોજાનાર છે. તેમજ 3 ઓગસ્ટે મતગણતરી થશે. નોધનીય છે કે, માંજલપુર વિધાનાસભાની બેઠક યોગેશ પટેલના નિધનથી ખાલી પડી છે.
ADVERTISEMENT
ભારતના ચૂંટણી પંચે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારીપત્રોની ચકાસણી 14 જુલાઈએ થશે અને ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 16 જુલાઈ રહેશે. આ બેઠક માટે 30 જુલાઈએ મતદાન યોજાશે અને 3 ઓગસ્ટે મતગણતરી સાથે પરિણામ જાહેર કરવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે માંજલપુર બેઠકના ઉમેદવાર તરીકે શ્રી સતીશભાઈ ગોવિંદભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.
— BJP Gujarat (@BJP4Gujarat) July 9, 2026
ઉમેદવારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને ભવ્ય વિજય માટે હાર્દિક શુભેચ્છાઓ. pic.twitter.com/7mC7uDPnac
ADVERTISEMENT
સતીષ પટેલની સંગઠનમાં સક્રિય ભૂમિકા
સતીષભાઈ પટેલ વર્ષોથી વડોદરા શહેર અને જિલ્લા ભાજપના સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. સંગઠનના પાયાના કાર્યકર તરીકે તેમણે વિવિધ જવાબદારીઓ નિભાવી છે અને કાર્યકરો સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો છે. માંજલપુર સહિત વડોદરાના સ્થાનિક રાજકારણમાં તેમની મજબૂત હાજરી અને સંગઠનાત્મક કુશળતાને કારણે તેઓ પાર્ટીમાં સર્વસ્વીકૃત ચહેરા તરીકે ઓળખાય છે.
ADVERTISEMENT
ભાજપે આ બેઠક માટે સતીષભાઈના નામની પસંદગી કરીને સ્થાનિક નેતૃત્વ અને સંગઠનને પ્રાથમિકતા આપી છે. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ, વિવિધ નામોની ચર્ચા વચ્ચે અંતે સંગઠનમાં તેમની સ્વીકાર્યતા, સ્થાનિક પકડ અને વિવાદોથી દૂર રહીને કામ કરવાની કાર્યશૈલીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ચૂંટણી સમિતિએ તેમના નામને મંજૂરી આપી છે.
માંજલપુર બેઠક વર્ષોથી ભાજપનો મજબૂત ગઢ રહી છે. સ્વ. યોગેશ પટેલ સતત આ બેઠક પરથી વિજય મેળવતા આવ્યા હતા અને વિસ્તારમાં તેમની આગવી ઓળખ હતી. હવે તેમના અવસાન બાદ આ રાજકીય વારસાને જાળવી રાખવાની અને મતદારોનો વિશ્વાસ યથાવત્ રાખવાની મહત્વપૂર્ણ જવાબદારી સતીષભાઈ પટેલના શિરે આવી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ વડોદરા / બોલો, વડોદરામાં ચોર બાળકોનો ગુલ્લક ચોરી ગયા! નમન રેસિડેન્સીમાં ફરી ચોરી
ADVERTISEMENT
શા માટે યોજાઈ રહી છે પેટાચૂંટણી?
માંજલપુર વિધાનસભા બેઠક ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલના અવસાન બાદ ખાલી પડી હતી. તેઓ લાંબા સમયથી વડોદરાની રાજનીતિમાં સક્રિય રહ્યા હતા અને સતત અનેક વખત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તેમના નિધન બાદ ચૂંટણી પંચે ખાલી પડેલી બેઠક માટે હવે પેટાચૂંટણી જાહેર કરી છે. આ પેટાચૂંટણીને 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.