બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:35 PM, 8 July 2026
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ ફેન્સને ચિંતામાં મૂકી દીધા હતા. વીડિયોમાં ગોકુલધામ સોસાયટીના સેટ પર તોડફોડ અને બાંધકામનું કામ જોવા મળતા અનેક સવાલો ઊભા થયા હતા. હવે શોના નિર્માતા અસિત મોદીએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ગોકુલધામ સોસાયટીનો જાણીતો સેટ દેખાઈ રહ્યો હતો. જોકે આ વખતે ત્યાં શૂટિંગ નહીં પરંતુ બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. અનેક જગ્યાએ મજૂરો કામ કરતા જોવા મળ્યા હતા અને સેટના કેટલાક ભાગોને ઢાંકી દેવામાં આવ્યા હતા. વીડિયો સામે આવતા જ ફેન્સે સવાલો પૂછવાનું શરૂ કર્યું. ઘણા લોકો માની રહ્યા હતા કે કદાચ ગોકુલધામ સોસાયટીનો સેટ હંમેશા માટે દૂર કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT


ADVERTISEMENT
આ પણ વાંચોઃ જંગલની વચ્ચે બેઠેલો દેખાયો સલમાન ખાન, ચાહકો બોલ્યા- "ભાઈજાન ઇઝ બેક!"
ADVERTISEMENT
ફેન્સની ચિંતા વધતા શોના પ્રોડ્યુસર અસિત મોદીએ પોતે આગળ આવીને હકીકત જણાવી હતી. તેમણે કહ્યું કે ગોકુલધામ સોસાયટીને તોડી પાડવામાં આવી રહી નથી પરંતુ તેનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે.તેમણે જણાવ્યું કે થોડા સમય બાદ દર્શકોને ગોકુલધામ સોસાયટી નવા અને આકર્ષક અંદાજમાં જોવા મળશે. સમગ્ર કામ દર્શકોને વધુ સારો અનુભવ આપવા માટે કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
માહિતી મુજબ સેટના કેટલાક ભાગોને આધુનિક ડિઝાઇન આપવામાં આવશે. જોકે ગોકુલધામ સોસાયટીની મૂળ ઓળખ અને તેની ખાસિયત યથાવત રાખવામાં આવશે. નિર્માતાઓનું માનવું છે કે નવા લુક બાદ દર્શકોને વધુ ફ્રેશ અને આકર્ષક વિઝ્યુઅલ અનુભવ મળશે. અગાઉ પણ શોમાં ગોકુલધામ સોસાયટીના રિનોવેશનની કહાની બતાવવામાં આવી હતી.
ADVERTISEMENT
વર્ષ 2008માં શરૂ થયેલો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ભારતીય ટેલિવિઝનના સૌથી લોકપ્રિય કોમેડી શોમાંનો એક છે. જેઠાલાલ, ભીડે, પોપટલાલ અને અન્ય પાત્રોની સાથે ગોકુલધામ સોસાયટી પણ દર્શકોના પરિવારનો ભાગ બની ગઈ છે. હવે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે રિનોવેશન બાદ ગોકુલધામ સોસાયટીનો નવો અવતાર કેવો જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.