બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:37 PM, 7 July 2026
Wayanad Landslide: કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનની ઘટના બની છે. કાટમાળ નીચે પાંચ લોકો ફસાયા છે. તેમને કાટમાળમાંથી બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. કેરળમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ ઘટનામાં બે લોકોના મોત થયાનું જાણવા મળી રહ્યુ છે જ્યારે 6 લોકો હજુ લાપતા છે.
ADVERTISEMENT
VIDEO | Kerala: Landslide near Meenakshi Bridge at Kalladi, where work on a tunnel road project connecting Malappuram and Wayanad districts was going on. One killed, seven injured, another seven missing, says Kerala CM V D Satheesan. CCTV visuals of the incident.#KeralaNews… pic.twitter.com/4tUkNZCUz7
— Press Trust of India (@PTI_News) July 7, 2026
ભૂસ્ખલનની ઘટના કેમેરામાં કેદ કેદ
ADVERTISEMENT
વાયનાડમાં ભૂસ્ખલનનું ભયાનક દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયું છે. વીડિયોમાં પાણી સાથે મોટી માત્રામાં કાટમાળ રસ્તા પર વહેતો જોવા મળ્યો છે. લોકો પોતાના જીવ બચાવવા માટે દોડતા જોવા મળ્યા હતા. ભૂસ્ખલન પછી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઇમરજન્સી બચાવ ટીમો પહોંચે તે પહેલાં સ્થાનિકોએ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. અધિકારીઓએ મીડિયાને જણાવ્યું કે કાટમાળમાં દબાયેલા બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય પાંચ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
વાયનાડમાં કલ્લાડી ટનલ બાંધકામ સ્થળ પર ભૂસ્ખલનથી રસ્તો બ્લોક થઈ ગયો છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ભારે વરસાદને કારણે કામ પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યું હતું. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA) એ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં 265 મીમી વરસાદ પડ્યો હતો, જેના કારણે ભૂસ્ખલન થયું હતું. જો કલ્લાડી ટનલ નજીક કામ ચાલી રહ્યું હોત તો ઘણા લોકો પ્રભાવિત થયા હોત.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ દુર્ઘટના / બેકાબૂ ટ્રકે પરિવારને કચડ્યો, ચાર બાળકોના કમકમાટીભર્યા મો*ત
ADVERTISEMENT
KSDMA એ પહેલાથી જ ચેતવણી જારી કરી હતી
ભારે વરસાદ વચ્ચે કેરળ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે ચેતવણી આપી છે કે ભારે વરસાદને કારણે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ શકે છે, ટ્રાફિક ખોરવાઈ શકે છે, નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારાઓમાં પૂર આવી શકે છે, વૃક્ષો ઉખડી જવાથી વીજ પુરવઠો ખોરવાઈ શકે છે, ઘરો અને ઝૂંપડીઓને આંશિક નુકસાન થઈ શકે છે અને ભૂસ્ખલનનું જોખમ વધી શકે છે. સત્તામંડળે એવી પણ ચેતવણી આપી હતી કે પ્રતિકૂળ હવામાન દરિયાકાંઠાની નજીક રહેતા લોકો, પશુધન અને સંવેદનશીલ માળખાંને અસર કરી શકે છે. KSDMA એ ભૂસ્ખલન અને અચાનક પૂરની સંભાવના ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થાનિક અધિકારીઓના નિર્દેશ મુજબ સુરક્ષિત સ્થળોએ જવા અપીલ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.