ઓડિસાઃ જગન્નાથપુરી મંદિરના ખજાનાને આપ નિહાળી શકશો. પરંતુ તંત્ર દ્વારા તેના માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જગન્નાથપુરી મંદિરના ખજાનામાં જતા સમયે ગમછો પહેરવો પડશે.
આ જાણકારી મંદિરના એક અધિકરીએ આપી છે. અધિકારીના જણાવ્યા મુજબ ઓડિસા સરકારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના નિરીક્ષણ માટે 34 વર્ષ બાદ રત્ન ભંડાર ખોલવાની મંજૂરી આપી છે.
મહત્વનું છે કે આ ભંડાર અગાઉ 1984માં ખોલવામાં આવ્યા હતા. જેમાં સાત કક્ષમાંથી માત્ર 3 કક્ષ જ ખોલવામાં આવ્યા હતા. આ કક્ષમાં દેવી દેવતાઓના કિંમતી આભૂષણો છે.
તો રત્ન ભંડારમાં જતા સમયે અને બહાર આવતા સમયે તપાસ કરવામાં આવશે. એટલું જ નહીં અંદર કંઈપણ વસ્તુ લઈ જવા દેવામાં નહીં આવે.