બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Rathyatra / ahmedabad-no-parking-zone-in-this-are-because-of-lord-jagannathji-yatra

NULL / 141મી રથયાત્રા મામલે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું આ વિસ્તારો 'No Parking' ઝોન

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમદાવાદ: ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાને લઈને પોલીસ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં રથયાત્રાના રૂટના તમામ રસ્તાઓને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. આગામી તારીખ 13 અને 14મી જૂલાઈના આ તમામ રસ્તાઓ પર કોઈપણ પોતાના વાહન પાર્કિંગ નહીં કરી શકે. 

નો પાર્કિંગ ઝોન જાહેર કરાયેલા રસ્તાઓમાં જમાલપુર દરવાજાથી જમાલપુર ચકલા સુધીનો રોડ ત્યારબાદ ખમાસા ગોળલીમડા આસ્ટોડિયા ચકલા રાયપુર ચકલા ખાડિયા પાંચકુવા અને માણેકચોક સુધીના રસ્તાને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે.

આ સિવાય શાહપુર દરવાજા થી રંગીલા પોલીસ ચોરી સુધીના રોડને પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. તો દિલ્હી ચકલા ઘી કાંટા દાણીપીઠથી ખમાસા સુધીના રોડને પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને આ તમામ રૂટ પર પોલીસનું સઘન પેટ્રોલીંગ પણ વધારી દેવામાં આવ્યું છે.

રથયાત્રાના બે દિવસ સુધી આ રસ્તાઓ પર કોઈપણ પોતાના વાહન પાર્ક નહીં કરી શકે અને જો કોઈ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ