બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / જગન્નાથ મંદિરમાં કપલ્સ નથી કરતા એક સાથે દર્શન! રાધાજીના શ્રાપ સાથે જોડાયેલી છે લોકવાયકા
Last Updated: 11:26 AM, 16 July 2026
Jagannath Temple Couples Darshan : ઓડિશાના પુરીમાં આજે વિશ્વપ્રસિદ્ધ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો છે. લાખો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે જગન્નાથ મંદિર સાથે એક એવી લોકમાન્યતા પણ જોડાયેલી છે, જેના કારણે આજે પણ ઘણા અવિવાહિત કપલ્સ સાથે ભગવાનના દર્શન કરવાનું ટાળે છે?
ADVERTISEMENT
કહેવાય છે કે જો અવિવાહિત કપલ્સ મંદિરના ગર્ભગૃહમાં સાથે દર્શન કરે તો તેમના સંબંધમાં અંતર આવી શકે છે અથવા લગ્નમાં વિઘ્નો આવી શકે છે. જોકે, મંદિર પ્રશાસન તરફથી આવો કોઈ નિયમ નથી. તો પછી આ માન્યતા ક્યાંથી આવી? ચાલો જાણીએ તેની પાછળની પૌરાણિક કથા અને હકીકત.
ADVERTISEMENT
પુરી જગન્નાથ મંદિર સાથે જોડાયેલી લોકમાન્યતાઓ અનુસાર, અવિવાહિત પ્રેમી-પ્રેમિકાએ મંદિરના ગર્ભગૃહમાં સાથે ભગવાન જગન્નાથના દર્શન કરવા જોઈએ નહીં. સ્થાનિક લોકોમાં એવી માન્યતા છે કે જો કોઈ પ્રેમી યુગલ સાથે દર્શન કરે તો તેમના પ્રેમ સંબંધમાં મુશ્કેલીઓ આવી શકે છે અથવા લગ્ન સુધી પહોંચતા પહેલાં જ સંબંધ તૂટી શકે છે. આ જ કારણ છે કે આજે પણ અનેક કપલ્સ અલગ-અલગ દર્શન કરવાનું પસંદ કરે છે.
ADVERTISEMENT
આ માન્યતા પાછળ એક પૌરાણિક લોકકથા પણ પ્રચલિત છે. કહેવાય છે કે એક વખત રાધારાણી ભગવાન શ્રીકૃષ્ણના જગન્નાથ સ્વરૂપના દર્શન કરવા પુરી પહોંચી હતી. પરંતુ મંદિરના પૂજારીઓએ તેમને અંદર પ્રવેશ કરવાની મંજૂરી આપી નહોતી. કહેવાય છે કે પૂજારીઓએ કહ્યું હતું કે મંદિરમાં માત્ર ભગવાન અને તેમની પત્નીઓને જ પ્રવેશ મળી શકે. આ વાતથી રાધારાણી ખૂબ દુઃખી થયા અને તેમણે શ્રાપ આપ્યો કે જે પણ અવિવાહિત પ્રેમી યુગલ મંદિરની અંદર સાથે દર્શન કરશે, તેમનો પ્રેમ સફળ નહીં થાય. સ્થાનિક લોકો આ કથાને આધારે આજે પણ આ પરંપરાનું પાલન કરે છે.
ADVERTISEMENT
આ મુદ્દે સૌથી મહત્વની વાત એ છે કે શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન તરફથી આવો કોઈ સત્તાવાર નિયમ કે પ્રતિબંધ નથી. મંદિરના નિયમોમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે અવિવાહિત કપલ્સ સાથે દર્શન કરી શકતા નથી. એટલે આ સંપૂર્ણપણે આસ્થા, લોકમાન્યતા અને વ્યક્તિગત વિશ્વાસનો વિષય છે. ઘણા લોકો આ માન્યતા માને છે અને તેનું પાલન કરે છે, જ્યારે અનેક શ્રદ્ધાળુઓ કોઈ સંકોચ વગર સાથે દર્શન પણ કરે છે.
ADVERTISEMENT
ભગવાન જગન્નાથની રથયાત્રાને વિશ્વના સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાં સ્થાન મળે છે. દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા ભવ્ય રથોમાં બેસીને શ્રી ગુન્ડિચા મંદિર સુધીની યાત્રા કરે છે. આ યાત્રાના દર્શન કરવા દેશ-વિદેશમાંથી લાખો ભક્તો પુરી પહોંચે છે.
ADVERTISEMENT
આ માહિતી વિવિધ ધાર્મિક માન્યતાઓ અને લોકકથાઓ પર આધારિત છે. જગન્નાથ મંદિર પ્રશાસન દ્વારા અવિવાહિત કપલ્સને સાથે દર્શન કરવા અંગે કોઈ સત્તાવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. તેથી તેને ધાર્મિક આસ્થા અને વ્યક્તિગત માન્યતા તરીકે જ જોવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Price Update / ના હોય, ₹20,000 સુધી સોનું સસ્તું થઇ જશે? હોઇ શકે છે આ કારણ
ADVERTISEMENT