બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / રામ કપૂરના પ્રેમમાં પડી બિઝનેસના અશનીર ગ્રોવરની પત્ની? માધુરીએ આપ્યો જવાબ

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / રામ કપૂરના પ્રેમમાં પડી બિઝનેસના અશનીર ગ્રોવરની પત્ની? માધુરીએ આપ્યો જવાબ

Last Updated: 03:30 PM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

લોક અપ 2 માંથી મિડ વીક એલિમિનેશનમાં બહાર નીકળેલી અશનીર ગ્રોવરની પત્ની માધુરી જૈન ગ્રોવરે રામ કપૂર સાથેની લિંકઅપ અફવાઓને નકારી કાઢી છે અને કહ્યું કે તેઓ માત્ર ક્યુરિયસ હતાં આથી સવાલો પૂછતાં હતાં.

1/5

photoStories-logo

1. માધુરી જૈન ગ્રોવર

કરોડોના બિઝનેસના માલિક અશનીર ગ્રોવરની પત્ની માધુરી જૈન ગ્રોવર ‘લોક અપ 2’માંથી બહાર થઈ ગઈ છે. મિડ વીક એલિમિનેશનમાં તેમનું નામ કાપી નાખવામાં આવ્યું. શોમાં માધુરી ભલે બેકફુટ પર રહ્યાં હોય પરંતુ તેમની પોઝિટિવ એપ્રોચ અને વ્યવહારથી તેમને ફેન્સના દિલ જીતી લીધા હતા. આ શો દરમિયાન માધુરીનું નામ એક્ટર રામ કપૂર સાથે પણ જોડાઈ ગયું હતું. હવે માધુરીએ આ તમામ અફવાઓ પર પોતાની સ્પષ્ટ વાત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. લિંકઅપની અફવા પર પ્રતિક્રિયા

શોમાં માધુરી અવારનવાર એક્ટરની ઇન્ટિમસી અને કિસિંગ સીન્સ વિશે રામ કપૂરને સવાલો પૂછતાં જોવા મળતાં હતાં. તેઓ વારંવાર પૂછતાં કે જ્યારે અભિનેતાઓ હીરોઇન સાથે પર્દા પર ઇન્ટિમેટ સીન કરે છે ત્યારે તેમની પત્નીઓને તેનાથી તકલીફ થાય છે કે નહીં?આ સવાલોને લઈને અન્ય કન્ટેસ્ટન્ટ્સ મજાક પણ ઉડાવતા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. રામ કપૂર પર ક્રશ ?

પામેલાએ તો એવો દાવો પણ કર્યો હતો કે માધુરીને રામ કપૂર પર ક્રશ છે, જેના કારણે તેઓ આવા સવાલો પૂછે છે .શોમાંથી બહાર આવ્યા બાદ માધુરીએ આ અફવાઓ પર સ્પષ્ટ જવાબ આપ્યો. તેમને હસતાં કહ્યું, “રામ જી ખૂબ જ સારા માણસ છે. પરંતુ આ વાત દરેકના દિમાગમાં કોને નાખી?”

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. હું ક્યુરીયસ

માધુરીએ આગળ કહ્યું, “હું મારી લાઈફથી ખૂબ ખુશ રહી છું. હું ક્યુરીયસ વ્યક્તિ છું. હું અવારનવાર રામ પાસે વાતો પૂછવા જતી. કેમ કે તેઓ દરેક વાતને સરસ રીતે સમજાવતા અને મારા સવાલોના જવાબ આપતા. પછી આકાંક્ષા ચમોલાએ પણ મારા ઘણા સવાલોના જવાબ આપવા માંડ્યા, તેથી હું મજાકમાં કહેતી કે હવે મારે રામને પરેશાન કરવાની જરૂર નથી. આટલી જ વાત હતી.”

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. એલિમિનેશન પર પતિ અશનીરની પ્રતિક્રિયા

એલિમિનેશન પર પતિ અશનીરની પ્રતિક્રિયા શોમાંથી બહાર થવા પર પતિ અશનીર ગ્રોવરની પ્રતિક્રિયા વિશે માધુરીએ કહ્યું કે અશનીર તેમના વર્તનથી ખુશ છે. માધુરીએ જણાવ્યું, “તેઓ ખુશ છે અને તેમને લાગે છે કે ઘરે રહીને મેં પોઝિટિવ અસર છોડી છે. હું કદાચ એકમાત્ર એવી વ્યક્તિ હતી જે શોમાં પોઝિટિવ રહી. એક એવા ગેમમાં જ્યાં સતત ઝઘડા થતા હતા, મેં શાંત રહેવાનું પસંદ કર્યું, નેગેટિવિટીથી દૂર રહી અને માત્ર લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો.”

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Madhuri Jain Grover Lock Up 2 Ram Kapoor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ