બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 03:30 PM, 15 July 2026
1/5
કરોડોના બિઝનેસના માલિક અશનીર ગ્રોવરની પત્ની માધુરી જૈન ગ્રોવર ‘લોક અપ 2’માંથી બહાર થઈ ગઈ છે. મિડ વીક એલિમિનેશનમાં તેમનું નામ કાપી નાખવામાં આવ્યું. શોમાં માધુરી ભલે બેકફુટ પર રહ્યાં હોય પરંતુ તેમની પોઝિટિવ એપ્રોચ અને વ્યવહારથી તેમને ફેન્સના દિલ જીતી લીધા હતા. આ શો દરમિયાન માધુરીનું નામ એક્ટર રામ કપૂર સાથે પણ જોડાઈ ગયું હતું. હવે માધુરીએ આ તમામ અફવાઓ પર પોતાની સ્પષ્ટ વાત કરી છે.
2/5
શોમાં માધુરી અવારનવાર એક્ટરની ઇન્ટિમસી અને કિસિંગ સીન્સ વિશે રામ કપૂરને સવાલો પૂછતાં જોવા મળતાં હતાં. તેઓ વારંવાર પૂછતાં કે જ્યારે અભિનેતાઓ હીરોઇન સાથે પર્દા પર ઇન્ટિમેટ સીન કરે છે ત્યારે તેમની પત્નીઓને તેનાથી તકલીફ થાય છે કે નહીં?આ સવાલોને લઈને અન્ય કન્ટેસ્ટન્ટ્સ મજાક પણ ઉડાવતા હતા.
3/5
4/5
માધુરીએ આગળ કહ્યું, “હું મારી લાઈફથી ખૂબ ખુશ રહી છું. હું ક્યુરીયસ વ્યક્તિ છું. હું અવારનવાર રામ પાસે વાતો પૂછવા જતી. કેમ કે તેઓ દરેક વાતને સરસ રીતે સમજાવતા અને મારા સવાલોના જવાબ આપતા. પછી આકાંક્ષા ચમોલાએ પણ મારા ઘણા સવાલોના જવાબ આપવા માંડ્યા, તેથી હું મજાકમાં કહેતી કે હવે મારે રામને પરેશાન કરવાની જરૂર નથી. આટલી જ વાત હતી.”
5/5
એલિમિનેશન પર પતિ અશનીરની પ્રતિક્રિયા શોમાંથી બહાર થવા પર પતિ અશનીર ગ્રોવરની પ્રતિક્રિયા વિશે માધુરીએ કહ્યું કે અશનીર તેમના વર્તનથી ખુશ છે. માધુરીએ જણાવ્યું, “તેઓ ખુશ છે અને તેમને લાગે છે કે ઘરે રહીને મેં પોઝિટિવ અસર છોડી છે. હું કદાચ એકમાત્ર એવી વ્યક્તિ હતી જે શોમાં પોઝિટિવ રહી. એક એવા ગેમમાં જ્યાં સતત ઝઘડા થતા હતા, મેં શાંત રહેવાનું પસંદ કર્યું, નેગેટિવિટીથી દૂર રહી અને માત્ર લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો.”
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ