બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રહેણાક વિસ્તારોમાં ઔદ્યોગિક વિસ્તાર જેટલો ઘોંઘાટ, હોર્નના અવાજને કાબૂમાં લેવા AMCનો મોટો નિર્ણય
Last Updated: 03:06 PM, 15 July 2026
શહેરમાં સતત વધી રહેલા ધ્વનિ પ્રદૂષણને લઈ તાજેતરમાં થયેલા વૈજ્ઞાનિક અભ્યાસે ચિંતાજનક સ્થિતિ ઉજાગર કરી છે, જેમાં શહેરમાં વધતા હોર્નજન્ય અવાજને નિયંત્રિત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં IoT આધારિત YHonk ટેક્નોલોજીનો પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરવાની જરૂર ઊભી થઈ છે. અત્યાર સુધી ઔદ્યોગિક વિસ્તારોને સૌથી વધુ ઘોંઘાટવાળા વિસ્તાર તરીકે જોવામાં આવતા હતા, પરંતુ હવે શહેરના રહેણાક વિસ્તારોમાં પણ લગભગ એટલો જ અવાજ નોંધાઈ રહ્યો હોવાનું અભ્યાસમાં સામે આવ્યું છે, પરિણામે નાગરિકો પોતાના ઘરમાં પણ ઔદ્યોગિક વિસ્તાર જેવું વાતાવરણ અનુભવી રહ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR-CRRI) અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ હરિયાણાના સંશોધકોએ શહેરનાં 133 સ્થળોએ ક્લાસ-1 સાઉન્ડ લેવલ મીટર (ST-109)ની મદદથી વિસ્તૃત સર્વે હાથ ધર્યો હતો. અભ્યાસમાં શહેરના રહેણાક, વ્યાપારી અને ઔદ્યોગિક વિસ્તારોમાં દિવસ, રાત અને મોડી રાતના અવાજના સ્તરનું માપન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી)નાં ધોરણો મુજબ રહેણાક વિસ્તારોમાં દિવસ દરમિયાન ૫૫ ડેસિબલ અને રાતના સમયે ૪૫ ડેસિબલ સુધીનો અવાજ માન્ય છે, પરંતુ અભ્યાસમાં રહેણાક વિસ્તારોમાં દિવસ દરમિયાન સરેરાશ ૭૯.૮૩ ડેસિબલ અને રાતે 74.85 ડેસિબલ અવાજ નોંધાયો હતો. મોડી રાતે પણ અવાજનું પ્રમાણ 61.68 ડેસિબલ રહ્યું હતું, જે નિર્ધારિત મર્યાદાથી ઘણું વધુ છે. વ્યાપારી વિસ્તારોમાં દિવસ દરમિયાન 79.67 ડેસિબલ અને ઔદ્યોગિક વિસ્તારોમાં ૮૦.૬૨ ડેસિબલ અવાજ નોંધાયો હતો. આમ, રહેણાક અને ઔદ્યોગિક વિસ્તારો વચ્ચે માત્ર એક ડેસિબલ જેટલો જ તફાવત જોવા મળ્યો છે, જે શહેરમાં વધતા ધ્વનિ પ્રદૂષણની ગંભીરતા દર્શાવે છે.
ADVERTISEMENT
સંશોધન મુજબ શહેરમાં સતત વધી રહેલો વાહનોનો ટ્રાફિક, બિનજરૂરી હોર્નનો ઉપયોગ, મોટા પાયે ચાલી રહેલાં બાંધકામો તેમજ રહેણાક વિસ્તારોમાં વધી રહેલી વ્યાપારી પ્રવૃત્તિઓ ધ્વનિ પ્રદૂષણનાં મુખ્ય કારણો છે. વ્યાપારી વિસ્તારોમાંથી સર્જાતો અવાજ આસપાસની રહેણાક સોસાયટીઓ સુધી સરળતાથી પહોંચતો હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
ADVERTISEMENT
પર્યાવરણ નિષ્ણાતોના જણાવ્યા મુજબ લાંબા સમય સુધી વધુ અવાજના સંપર્કમાં રહેવાથી બહેરાશ, ઊંઘમાં ખલેલ, માનસિક તણાવ, બ્લડ પ્રેશર, હૃદય સંબંધિત તકલીફો તેમજ અનિદ્રા જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓનું જોખમ વધી શકે છે. શહેરમાં ધ્વનિ પ્રદૂષણ પર તાત્કાલિક નિયંત્રણ લાવવાની જરૂરિયાત પણ તેમણે વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
ધ્વનિ પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ધ્વનિ પ્રદૂષણના નિયમોનું કડક પાલન કરાવવા તેમજ ગેરકાયદે દબાણો દૂર કરવા માટે અસરકારક પગલાં લેવા સૂચના આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.