બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / NCP(SP)ના NDAમાં જોડાવા અંગે થઈ ગયો ખુલાસો, સુપ્રિયા સુલેનું મહત્વનું નિવેદન

રાજકારણ / NCP(SP)ના NDAમાં જોડાવા અંગે થઈ ગયો ખુલાસો, સુપ્રિયા સુલેનું મહત્વનું નિવેદન

Kalpesh Kandoria

Last Updated: 03:03 PM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના રાજકારણમાં NCP (શરદ પવાર) એટલે કે NCP(SP)ના NDAમાં જોડાવાની અટકળો વચ્ચે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અને સાંસદ સુપ્રિયા સુલેએ સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ ચર્ચા ચાલી રહી નથી અને પાર્ટી NDAમાં જોડાવાની નથી. તેમણે સીમાંકન બિલ અંગે પણ જણાવ્યું કે બિલના તમામ પાસાઓનો અભ્યાસ અને વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ જ પક્ષ પોતાનું સત્તાવાર વલણ જાહેર કરશે.

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદર પવાર) એટલે કે NCP(SP)ની NDAમાં જોડાવાની અટકળો તેજ બની હતી. પરંતુ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અને સાંસદ સુપ્રિયા સુલેએ આ તમામ ચર્ચાઓને સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે NCP (SP) NDAમાં જોડાવાની નથી અને આવી કોઈ ચર્ચા પણ ચાલી રહી નથી.

સુપ્રિયા સુલેએ સ્પષ્ટ કર્યું કે,"અમે ક્યાંય જઈ રહ્યા નથી. NDAમાં જોડાવાનો કોઈ પ્રશ્ન જ નથી." તેમણે કહ્યું કે પાર્ટી પોતાના રાજકીય સ્ટેન્ડ પર અડગ છે અને સોશિયલ મીડિયા તેમજ રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી અટકળોમાં કોઈ સત્ય નથી.

સીમાંકન બિલ પર હજુ અંતિમ નિર્ણય નથી

સુળેએ સંસદમાં આવનારા સીમાંકન બિલ અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે પાર્ટીએ હજુ સુધી આ મુદ્દે અંતિમ નિર્ણય લીધો નથી. બિલનું સંપૂર્ણ સ્વરૂપ સામે આવ્યા બાદ અને પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી જ સત્તાવાર વલણ જાહેર કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે,"બિલ શું છે અને તેમાં શું જોગવાઈઓ છે તે પહેલા સમજવું જરૂરી છે. ત્યારબાદ જ અમે નિર્ણય લઈશું."

આ પણ વાંચો- બ્રિટન સાથેની ટ્રેડ ડીલથી ભારતને થશે આ 5 મોટા ફાયદા, 99 વસ્તુઓ પરથી ટેરિફનો બોજ હટ્યો

મહારાષ્ટ્રમાં રાજકીય અટકળો વચ્ચે આવ્યું નિવેદન

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રની રાજનીતિમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે શરદ પવારના નેતૃત્વવાળી NCP (SP) ભવિષ્યમાં NDA સાથે જઈ શકે છે. આ અટકળોને કારણે રાજકીય ગરમાવો વધ્યો હતો. જોકે, સુપ્રિયા સુળેના સ્પષ્ટ નિવેદન બાદ આ ચર્ચાઓ પર હાલ માટે પૂર્ણવિરામ લાગી ગયું છે.

વિરોધી ગઠબંધનમાં યથાવત રહેવાના સંકેત

સુપ્રિયા સુલેના નિવેદનથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે NCP(SP) હાલ પોતાના રાજકીય વલણમાં કોઈ ફેરફાર કરવા માંગતી નથી. બીજી તરફ, સીમાંકન બિલ જેવા મહત્વના મુદ્દા પર પાર્ટી ઉતાવળે નિર્ણય લેવાના બદલે તમામ પાસાઓનો અભ્યાસ કર્યા બાદ જ પોતાનું વલણ જાહેર કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NCP SP Maharashtra Politics Supriya Sule
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ