ભગવાન જગન્નાથ યાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્યમાં વિવિધ સ્થળોએ રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.ત્યારે રાજ્યમાં અમદાવાદ બાદ બીજા નંબરમાં ભાવનગર જીલ્લાની રથયાત્રા પ્રખ્યાત છે. તો આ વર્ષની 33મી રથયાત્રામાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.
ભગવાનની રથયાત્રા સામાન્ય રીતે શહેરમાં ટ્રકમાં નીકળતી હોય છે.પણ આ વર્ષે રથયાત્રા માટે ખાસ 300 ઘન ફૂટ સેવનના લાકડાનો ઉપયોગ કરીને રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં બેસીને ભગવાન જગન્નાથ ભાવનગરમાં પરિભ્રમણ કરશે. આ રથની ખાસિયત એ છે કે ભગવાન માટે સિંહાસન તો છે જ પણ સાથે જ સીસીટીવી કેમેરા પણ લગાવામાં આવ્યા છે.
જેથી સમગ્ર રથયાત્રાનું કવરેજ થઈ શકે. તો રથનું નક્શીકામ પણ આબેહૂબ છે. તો રથયાત્રા દરમિયાન ભારતીય સંસ્કૃતીની જાંખી અપાવતા શિલ્પ ચિત્રો પણ તૈયાર કરવામાં આવ્યા છે. તો ભગવાનને બીરાજવા માટે તૈયાર કરેલ આ રથને રૂપિયા 12 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. તો હવે ભગવાનને આ નવા રથમાં બિરાજમાન થઈને નગરની પરિભ્રમણ કરતા જોવા માટે ભાવનગરની પ્રજા આતુરતાથી રાહ જોઈ રહી છે.