બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Rathyatra / bhavnagar-the-preparations-of-rath-yatra-begin-making-new-chariots-fall-for-god

NULL / ભાવનગરઃ રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ ભગવાન માટે નવા રથનું કરાયું નિર્માણ ......

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભગવાન જગન્નાથ યાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્યમાં વિવિધ સ્થળોએ રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.ત્યારે રાજ્યમાં અમદાવાદ બાદ બીજા નંબરમાં ભાવનગર જીલ્લાની રથયાત્રા પ્રખ્યાત છે. તો આ વર્ષની 33મી રથયાત્રામાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. 

ભગવાનની રથયાત્રા સામાન્ય રીતે શહેરમાં ટ્રકમાં નીકળતી હોય છે.પણ આ વર્ષે રથયાત્રા માટે ખાસ 300 ઘન ફૂટ સેવનના લાકડાનો ઉપયોગ કરીને રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં બેસીને ભગવાન જગન્નાથ ભાવનગરમાં પરિભ્રમણ કરશે. આ રથની ખાસિયત એ છે કે ભગવાન માટે સિંહાસન તો છે જ પણ સાથે જ સીસીટીવી કેમેરા પણ લગાવામાં આવ્યા છે. 

જેથી સમગ્ર રથયાત્રાનું કવરેજ થઈ શકે. તો રથનું નક્શીકામ પણ આબેહૂબ છે. તો રથયાત્રા દરમિયાન ભારતીય સંસ્કૃતીની જાંખી અપાવતા શિલ્પ ચિત્રો પણ તૈયાર કરવામાં આવ્યા છે. તો ભગવાનને બીરાજવા માટે તૈયાર કરેલ આ રથને રૂપિયા 12 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. તો હવે ભગવાનને આ નવા રથમાં બિરાજમાન થઈને નગરની પરિભ્રમણ કરતા જોવા માટે ભાવનગરની પ્રજા આતુરતાથી રાહ જોઈ રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ