અમદાવાદમાં રથયાત્રાનું કામ જોરશોરથી ચાલી રહ્યુ છે ત્યારે તૈયારીના ભાગ રૂપે ભગવાન જગન્નાથ માટે ખાસ પ્રકારનો પહેરવેશ તૈયાર કરવામાં આવ્યો છે. આમ ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા પરંપરાગત રૂટ પર 14 જુલાઇના રોજ નીકળશે.
અમદાવાદની રથયાત્રાનું ભક્તોમાં ખાસ મહત્વ રહેલુ છે ત્યારે આ વખતે ભગવાન જગન્નાથ માટે રથયાત્રાના દિવસે ધારણ કરવા માટે ખાસ રાજસ્થાની રજવાડી વેશ તૈયાર કરવામાં આવ્યો છે. એટલે આ વખતે ભગવાન જગન્નાથ રજવાડી પહેરવેશમાં જોવા મળશે.
ભગવાન માટે તૈયાર કરવામાં આવેલા આ જાંબુડિયા-મોરપીંછ રંગના વાઘા ધારણ કરીને ભગવાન અમદાવાદ શહેરમાં નગરચર્યા માટે નીકળશે.
ભગવાન મોસાળથી પરત આવે ત્યારથી મંદિરમાં આ ઉત્સવની શરૂઆત થઇ જાય છે. ત્રણ દિવસના આ કાર્યક્રમ માટે ભગવાન જગન્નાથ બળદેવજી અને સુભદ્રાજી માટે ત્રણ અલગ પ્રભુના વાઘાનું કાપડ ખાસ વૃંદાવનથી મંગાવવામાં આવ્યું છે.
આમ ભગવાન જગન્નાથની 141મી રથયાત્રામાં ભગવાન જાંબુડિયા-મોરપીંછ રંગના રજવાડી વાધા ધારણ કરીને અમદાવાદ શહેરમાં નગરચર્યા માટે નીકળશે.