ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / chardham yatra 2023 kedarnath dham portals open today for pilgrims

VIDEO / 'હર હર મહાદેવ'ના જયકારા સાથે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ, નાસિકના તાલ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યાં

Published By: Malay

Last Updated: 08:12 AM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kedarnath Dham Door Opening News: સવારે પાંચ વાગ્યાથી જ કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. કપાટ ખુલ્યા બાદ ગર્ભગૃહમાં ભગવાન કેદારનાથની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ દરમિયાન લગભગ 8 હજાર જેટલા ભક્તોએ બાબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

ADVERTISEMENT

 

  • કેદારનાથ ધામના ખુલ્યા કપાટ
  • ભક્તોની આતુરતાનો આવ્યો અંત
  • હજારો ભક્તોએ કર્યા બાબના દર્શન

બાબા કેદારનાથ મહાદેવના દર્શનની આતુરતાનો આજે અંત આવ્યો છે. કારણે કે આજે ખુલી ગયા છે, બાબાના મંદિરના કપાટ. કેદારનાથ ધામના કપાટ આજે મંગળવારે સવારે 6.20 મિનિટે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા. કપાટોદ્ઘાટનના શુભ અવસર પર કેદારનાથ મંદિરને 35 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. લગભગ આઠ હજાર જેટલા ભક્તો  કપાટોદ્ઘાટનના શુભ મુહૂર્તના સાક્ષી બન્યા. બાબા કેદારનાથના મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

6.20 કલાકે ખુલ્યા મંદિરના કપાટ
સવારે 5 વાગ્યાથી જ કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. આ પછી વહીવટી તંત્ર દ્વારા રાવલ અને શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના પદાધિકારીઓની હાજરીમાં મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. સવારે 6.20 કલાકે કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન ભક્તો ઢોલ-નગારાંના તાલે ભગવાન શિવની ભક્તિમાં મગ્ન જોવા મળ્યા હતા. ભક્તો ભોલેનાથ કી જય, હર હર મહાદેવ જેવા નારા શ્રદ્ધાપૂર્વક લગાવતા જોવા મળ્યા હતા.

કેદારનાથની વિશેષ પૂજા-અર્ચના કરાઈ 
કેદારનાથ ધામના કપાટ ખુલ્યા બાદ મંદિરના મુખ્ય પૂજારી જગદગુરુ રાવલ ભીમ શંકર લિંગ શિવચાર્યએ ગર્ભગૃહમાં ભગવાન કેદારનાથની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ તકે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા હતા. તેમણે બાબાના ચરણોમાં શીશ ઝૂકાવી આશીર્વાદ લીધા હતા. 

35 કવિંટલ ફુલોથી શણગારાયું છે મંદિર
બાબા કેદારનાથની પંચમુખી ચલ વિગ્રહ ડોલી ગઈકાલે સોમવારે જ કેદારનાથધામમાં પહોચી ગઈ હતી. બાબાના મંદિરને 35 કવિંટલ ફુલોથી શણગારવામાં આવ્યું છે. થોડી થોડી વારે બરફની વર્ષા થઈ રહી છે. તો પણ કપાટ ખુલવાની સાક્ષી રૂપે અડગ મને શ્રદ્ધાળુઓ બાબાના ધામમાં પહોંચી ગયા હતા. 

29 એપ્રિલ સુધી બરફ વર્ષાની આગાહી
હવામાન વિભાગે 29 એપ્રિલ સુધી બરફવર્ષાની આગાહી આપવામાં આવી હતી. તેના કારણે ઉત્તરાખંડ સરકાર દ્વારા કેદારનાથ માટે નોંધણીની પ્રકિયા 30 એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા ઋષિકેશ, ગૌરીકુંડ, ગુપ્તકાશી અને સોનપ્રયાગના યાત્રિકોને ત્યાજ રોકાવાનું કહેવામાં આવ્યું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચારધામ યાત્રાને લઈ જણાવ્યું હતું કે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે શ્રદ્ધાળુ વધારે આવશે. આવનાર તમામ શ્રદ્ઘાળુ માટે જરૂરી તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. એક બાજુ બાબાના કપાટ ખુલ્યા છે અને બીજી તરફ ખરાબ હવામાનને કારણે પોલીસ યાત્રાળુઓને ઋષિકેશમાં જ રોકાવવા જણાવામાં આવી રહ્યું છે. કેદારનાથ મહાદેવના કપાટ ખુલતાની સાથે ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Kedarnath Dham chardham yatra 2023 open આતુરતાનો અંત કેદારનાથ ધામ ચાર ધામ યાત્રા 2023 હર હર મહાદેવ Kedarnath Dham

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ