તમારા પર્સમાં એવી કઇ વસ્તુ રાખશો કે પર્સ હંમેશા પૈસાથી ભરેલુ રહે. વાસ્તુમાં બતાવી છે કેટલીક વસ્તુઓ જે પર્સમાં રાખવાથી ધનપ્રાપ્તિ થાય છે
તમારુ પર્સ હંમેશા પૈસાથી ભરેલુ રાખવા ટિપ્સ
વાસ્તુમાં આપેલી અપનાવો આ ટિપ્સ
તમારુ પર્સ નહી થાય ક્યારેય ખાલી
પૈસા કોણ નથી ઇચ્છતુ, દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનુ બેંક બેલેન્સ હાઇ રહે. તેની તિજોરી અને પર્સ ચલણી નોટોથી ભરેલુ રહે. પરંતુ આપણે ઇચ્છીએ તેવુ હંમેશા થતુ પણ નથી. મહિનો પુરો થાય ત્યાં સુધી તો પર્સ ખાલી થઇ જાય છે. પર્સમાં એક રુપિયો રહેતો નથી ઉલટાનું અન્ય પાસે હાથ લાંબો કરવાનો વારો આવે છે. ત્યારે આપને અમે જણાવીશું એક એવી વાસ્તુ ટીપ કે જેનાથી તમારા પર્સમાં કાયમ પૈસા રહેશેજ.
શરત એ છે કે પર્સ લેધરનું ન હોય
કેટલીક વસ્તુઓ વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષમાં ઘણી જ શુભ માનવામાં આવે છે. આ એવી વસ્તુઓ છે જે પૈસા ખેંચી લાવે છે એટલે કે તમારુ પર્સ ખાલી થવા દેતી નથી. પરંતુ આ બધી વસ્તુઓ ત્યારે જ પ્રભાવ દેખાડે જ્યારે તમારુ પર્સ લેધરનું ન હોય. જી હા લેધરના પર્સમાં જો આ શુભ વસ્તુ રાખવામાં આવે તો લક્ષ્મી નારાજ થઇ જાય છે.
કમળના બીજ
પર્સમાં કમળના બીજ રાખવાથી મા લક્ષ્મીની કૃપા બની રહે છે. કારણ કે મા લક્ષ્મીને કમળ અત્યંત પ્રિયા છે. આ બીજ રાખવાથી વ્યક્તિને ધનલાભ તો થાય જ છે પરંતુ માનસિક રીતે પણ તે શાંતિ અનુભવે છે.
શ્રી યંત્ર
તમારા પર્સમાં નાનું શ્રી યંત્ર રાખવાથી તમારુ પર્સ હંમેશા ભરેલુ રહેશે. કારણ કે શ્રી યંત્ર રાખવાથી સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે જેથી તમારુ નસીબ પલટાતા વાર નથી લાગતી.
ગોમતી ચક્ર
પર્સમાં ગોમતી ચક્ર રાખવાથી ધનપ્રાપ્તિ થાય છે. આ ચક્ર રાખવાથી ક્યારેય તમને પૈસાની તંગી વર્તાશે નહી
પીપળાનું પાન
કહેવાય છે કે પીપળાના પાનમાં ભગવાન વિષ્ણુ વાસ કરે છે. આથી જો વિષ્ણુ ભગવાનની કૃપા થાય તો મા લક્ષ્મી અવશ્ય તમારી પર પ્રસન્ન રહે છે. જેથી એક પીપળાના પાનને પવિત્ર ગંગાજળથી ધોઇને તમારા પર્સમાં મુકો. તેની પર કેસરથી શ્રી પણ લખો.થોડા દિવસોમાં તમારા પાસે પૈસા આવવાનું શરુ થશે. પરંતુ આ પાન એવી રીતે તમારે મુકવાનું રહેશે કે અન્ય કોઇને નજરમાં ન આવે.