ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / રાજ્યમાં 7 IAS અધિકારીઓની બદલી, રાજકુમાર બેનીવાલ બન્યા સુરત મ્યુનિસિપલ કમિશ્નર
Last Updated: 11:28 PM, 5 September 2026
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં 7 IAS અધિકારીઓની બદલી તેમજ કેટલાક અધિકારીઓને વધારાના ચાર્જ સોંપવામાં આવ્યા છે. આ ફેરફારમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર તરીકે રાજકુમાર બેનીવાલની નિમણૂક કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંજીવ કુમારની બદલી
મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવી રહેલા સંજીવ કુમારની પણ બદલી કરવામાં આવી છે. તેમને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
રાજેશ માંજૂને નવી જવાબદારી
ADVERTISEMENT
રાજેશ માંજૂની બદલી કરીને તેમને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ તથા ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ વિભાગને લગતી મહત્વની જવાબદારી હવે તેમના હવાલે રહેશે.
ADVERTISEMENT
અન્ય અધિકારીઓને વધારાનો ચાર્જ
જેનુ દેવનને રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે રમ્યા મોહનને અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના સચિવનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. સરકારના આ વહીવટી ફેરફારથી રાજ્યના શહેરી વિકાસ, મહેસૂલ અને અન્ય મહત્વના વિભાગોમાં અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર થયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.