ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આર્થરાઇટીસના દર્દીઓ સાવધાન! શિયાળામાં ન કરતા આવી ભૂલો, નહીંતર વધી જશે સાંધાનો દુખાવો

હેલ્થ / આર્થરાઇટીસના દર્દીઓ સાવધાન! શિયાળામાં ન કરતા આવી ભૂલો, નહીંતર વધી જશે સાંધાનો દુખાવો

Last Updated: 11:11 AM, 12 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરદીની ઋતુમાં સંધિવા જેવાં રોગની બિમારીનું પ્રમાણ લોકોમાં વધુ જોવા મળે છે. ખાસ કરીને એવાં દર્દીઓએ કે જેઓ સાંધાના દુઃખાવાથી ચિંતિત હોય અને દુખાવો સહન ન કરી શકતા હોય. હવે આવા દર્દીઓએ શરદીની ઋતુમાં અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને પાલન કરવું જોઈએ.

ADVERTISEMENT

અસ્થિવા એટલે હાડકાં સંબંધિત સંકળાયેલી બિમારી. આ બિમારીમાં હાથ-પગ અને શરીરના અન્ય સાંધાઓમાં દુખાવો થાય છે. જ્યારે શરીરના અન્ય ભાગમાં સોજો પણ આવી જાય છે. આ બિમારીમાં સાંધાઓ અકડાઈ જાય છે અને અસહ્ય દુખાવો થાય છે. આમ, જોવા જઈએ તો સંધિવા રોગ એક ઉંમર પછી જ થાય છે જેમાં થોડા સમય પછી સાંધાની મજબૂતાઇ નબળી પડી જાય છે. આ કારણે શરીરમાં દુખાવો અને જકડન થવા લાગે છે.

the-problem-of-pain-in-the-knee-joint-arthritis-2022-11-12-07-54-56-utc

સંધિવાના રોગના લક્ષણ શરીર પર ધીમે-ધીમે અથવા તો એકાએક અસર કરે છે. અસ્થિવા અને સંધિવા એ અસ્થિવાનાં સૌથી સામાન્ય કારણો છે. શરદીની ઋતુમાં વાતાવરણ ખૂબ જ ઠંડુ હોય છે જેના પગલે આ આર્થરાઇટિસનો દુખાવો તમને વધુ પરેશાન કરી શકે છે. ત્યારે શરદીના દિવસોમાં સંધિવાના દર્દીઓએ અમુક બાબતોનું ખાસ પાલન કરવું જોઈએ.

થઈ શકે છે સ્વાસ્થ્યને લગતી બિમારી

આર્થરાઇટિસના દુખાવાથી બચવા માટે સંધિવાના દર્દીઓએ એક જગ્યા પર બેસી રહેવું ન જોઈએ. સતત બેસી રહેવાથી શરીર અકડાઈ જાય છે. સંધિવાના દર્દીઓએ ઠંડા પાણીનો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવો. ઠંડા પાણીથી જો તમે સ્નાન કરતાં હોવ અથવા ઠંડા પાણીનો ઉપયોગ ઘરકામ માટે કરતાં હોવ તો ચેતી જજો. કેમકે, ઠંડા પાણીનો વધુ પડતો ઉપયોગ કરવાથી શરીરમાં દુખાવો વધી જાય છે અને જડતાની સમસ્યા વધુ વધી શકે છે.

PROMOTIONAL 12

રાખો આ વસ્તુની તકેદારી

ફિઝિકલ એક્ટિવિટી: સાંધાના દુખાવાથી બચવા નિયમિતરૂપે યોગ અને કસરત કરો. સ્ટ્રેચિંગ કરતાં સ્નાયુઓ અને સાંધાઓમાં રાહત મળે છે. નિયમિત કસરત કરવાથી સાંધા સ્વસ્થ રહે છે. આ ઉપરાંત, શારીરિક પ્રવૃત્તિઓ શરીરને ગરમ રાખે છે, જે ઠંડીની અસર ઘટાડે છે.

પાણી પીવું: સંધિવાના દુખાવામાં શરીર હાઇડ્રેટેડ રહે તેનું ખાસ ધ્યાન રાખવું. શરીરના પ્રવાહીનું યોગ્ય સ્તર જાળવવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. હાઇડ્રેશન સાંધામાં ઘર્ષણના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, સંધિવાવાળા લોકોને સરળતાથી ખસેડવામાં મદદ કરે છે.

વધુ વાંચો: હિમોગ્લોબિન વધશે, કબજિયાત દૂર થશે..., જો તમે પણ રોજ સવારમાં ખાલી પેટ પીશો આ ડ્રાયફ્રૂટ્સનું પાણી

ખાણી-પીણીમાં ધ્યાન રાખો: સંધિવાના દર્દીઓએ ખાંડ, ચા, કોફી, તળેલા ખોરાકના સેવનથી દૂર રહેવું. વિટામિન-ડી મળતું હોય તેવાં ખાદ્યપદાર્થોનું ડાયટ નિયમિત રીતે કરવું જોઈએ.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health Tips Lifestyle Winter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ