ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું સમય પહેલા બંધ કરી દેવી જોઇએ એજ્યુકેશન લોન? સમજો આ 7 પોઈન્ટ્સ
Last Updated: 01:54 PM, 1 September 2026
ADVERTISEMENT
એજ્યુકેશન લોન લીધા બાદ વહેલી તકે દેવું પૂરું કરવાની ઇચ્છા સ્વાભાવિક છે. પરંતુ તમારી પાસે વધારાના પૈસા આવ્યા હોય ત્યારે આખી લોન એકસાથે ચૂકવી દેવી હંમેશા યોગ્ય નિર્ણય હોય એવું જરૂરી નથી. પ્રીપેમેન્ટ કરવાથી ભવિષ્યનું વ્યાજ બચી શકે છે અને EMIનો બોજ પણ દૂર થઈ શકે છે. જોકે લોન બંધ કરતા પહેલા વ્યાજદર, ટેક્સ લાભ, ઇમરજન્સી ફંડ અને લોનની શરતો જેવી બાબતો તપાસવી ખૂબ જરૂરી છે.
ADVERTISEMENT
RBIના પ્રીપેમેન્ટ ચાર્જ સંબંધિત નવા નિયમો 1 જાન્યુઆરી 2026થી લાગુ થયા છે. નિયમોના દાયરામાં આવતા અને 1 જાન્યુઆરી 2026 કે ત્યારબાદ મંજૂર અથવા રિન્યૂ થયેલા લોનમાં પાત્ર વ્યક્તિગત ઉધારકર્તાઓ પાસેથી બેંક અને NBFC પ્રીપેમેન્ટ અથવા ફોરક્લોઝર ચાર્જ વસૂલ કરી શકશે નહીં. જોકે જૂની લોન માટે અલગ શરતો હોઈ શકે છે. તેથી તમારી લોન એગ્રીમેન્ટની શરતો તપાસવી જરૂરી છે.
ADVERTISEMENT
સૌથી પહેલા તમારી લોન પર કેટલું વ્યાજ લાગી રહ્યું છે અને લોન પૂરી થવામાં કેટલો સમય બાકી છે તે જુઓ. જો વ્યાજદર વધારે છે અને હજુ ઘણા વર્ષો સુધી EMI ભરવાની હોય તો પ્રીપેમેન્ટ કરવાથી મોટી વ્યાજ બચત થઈ શકે છે. બીજી તરફ લોનનો સમયગાળો લગભગ પૂરો થવાનો હોય તો પ્રીપેમેન્ટનો ફાયદો ઓછો હોઈ શકે છે.
ADVERTISEMENT
લોનમાંથી મુક્ત થવું સારું લાગે છે પરંતુ ઇમરજન્સી ફંડ ખાલી કરીને લોન ચૂકવવી યોગ્ય નથી. નોકરીમાં અચાનક મુશ્કેલી આવે અથવા આવકમાં ઘટાડો થાય ત્યારે કેટલાક મહિનાના જરૂરી ખર્ચ માટે તમારી પાસે પૂરતી રકમ હોવી જોઈએ. પહેલા ઇમરજન્સી ફંડ સુરક્ષિત રાખો અને ત્યારબાદ વધારાની રકમમાંથી પ્રીપેમેન્ટ વિશે વિચારો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ iPhone 18માં થઇ શકે છે આ 5 મોટા ફેરફાર, મળી શકે છે જોરદાર ફીચર્સ!
ADVERTISEMENT
એજ્યુકેશન લોનના વ્યાજ પર મળતી ટેક્સ છૂટને પણ ધ્યાનમાં લેવી જોઈએ. લોન વહેલી બંધ કરવાથી ભવિષ્યમાં મળનારો ટેક્સ લાભ ઘટી શકે છે. તેથી માત્ર કેટલું વ્યાજ બચશે તેના આધારે નિર્ણય ન લો. તમારી ટેક્સ સ્થિતિ પ્રમાણે પ્રીપેમેન્ટનો વાસ્તવિક ફાયદો કેટલો છે તે ગણો.
ADVERTISEMENT
દરેક એજ્યુકેશન લોનની વ્યાજદર અને શરતો એકસરખી હોતી નથી. તમારી લોન ફ્લોટિંગ રેટ પર છે કે ફિક્સ્ડ રેટ પર છે તે તપાસો. પ્રીપેમેન્ટ અને ફોરક્લોઝરની શરતો પણ વાંચો. લોન સંબંધિત સેક્શન લેટર અને એગ્રીમેન્ટમાં આપવામાં આવેલી તમામ શરતો સમજ્યા પછી જ નિર્ણય લેવો વધુ સારું છે.
લોન એકસાથે ચૂકવતા પહેલા બેંક પાસેથી પ્રી-ક્લોઝર અથવા ક્લોઝર સ્ટેટમેન્ટ માગો. તેમાં બાકી મૂળ રકમ, વ્યાજ અને અન્ય કોઈ બાકી રકમની માહિતી મળી જશે. ચુકવણી કર્યા બાદ લોન ક્લોઝર લેટર અથવા No-Dues Certificate જરૂરથી મેળવો જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ ન રહે.
કેટલાક એજ્યુકેશન લોનમાં સિક્યોરિટી અથવા ગેરંટી આપવામાં આવી શકે છે. લોન સંપૂર્ણ ચૂકવ્યા બાદ સિક્યોરિટી રિલીઝ થઈ છે કે નહીં તેની ખાતરી કરો. બેંક પાસેથી સંબંધિત દસ્તાવેજો પરત લો અને લોન બંધ થયાનો રેકોર્ડ પણ સાચવીને રાખો.
બોનસ અથવા વધારાની આવક મળ્યા બાદ આખી રકમ તરત લોનમાં નાખવી જરૂરી નથી. પહેલા ગણતરી કરો કે પ્રીપેમેન્ટ કરવાથી કેટલું વ્યાજ બચશે. ત્યારબાદ આ રકમ અન્ય જગ્યાએ રાખવાથી અથવા રોકાણ કરવાથી મળનારા સંભવિત રિટર્ન સાથે તેની સરખામણી કરો. જોકે રોકાણમાં રિટર્ન નિશ્ચિત નથી તેથી જોખમ અને તમારી નાણાકીય સ્થિતિને પણ ધ્યાનમાં લો.
આનો જવાબ દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે. જો લોનનો વ્યાજદર વધારે હોય અને હજુ લાંબો સમય બાકી હોય તો પ્રીપેમેન્ટ ફાયદાકારક બની શકે છે. પરંતુ જો તમારી પાસે પૂરતું ઇમરજન્સી ફંડ ન હોય અથવા લોનના વ્યાજ પર મળતી ટેક્સ છૂટનો મોટો લાભ મળી રહ્યો હોય તો પહેલા સંપૂર્ણ ગણતરી કરવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો