ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / બોર્ડની મંજૂરી વિના ચાલતી શાળાઓ સામે કસાશે સકંજો, વિધાનસભામાં રજૂ થશે શિક્ષણ સુધારા વિધેયક
Last Updated: 10:18 PM, 3 September 2026
ADVERTISEMENT
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક વિધાનસભામાં રજૂ થશે. શિક્ષણ મંત્રી ડો પ્રદ્યુમન વાજા વિધાનસભામાં વિધેયક રજૂ કરશે. રાજ્ય સરકાર દ્વારા દંડની રકમમાં વધારો કરવામાં આવશે તેમજ નોટિસ વગર શાળાઓ બંધ પણ નહીં કરી શકાય. શાળાઓ સામે શિક્ષાત્મક પગલાં રૂપે દંડ ની રકમ વધારવામાં આવશે. તે ઉપરાંત રાજ્ય સરકાર નોન ટિચિંગ સ્ટાફની ભરતી કરાશે.
ADVERTISEMENT
બીજા પણ બિલ રજૂ કરવામાં આવશે
તે ઉપરાંત સરકાર ચોમાસું સત્રમાં વધુ એક નવો કાયદો બનાવશે. પશુઓ માટે વેચાતા આહાર માટે નવો કાયદો લાવવામાં આવશે અને જો ભેળસેળ અને મિશ્રિત બ્રાન્ડ વાળો આહાર હશે તો કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત પશુધન આહાર, મરઘા ચણ, અને ખનિજ મિશ્રણ વિધેયક રજૂ કરાશે.
ADVERTISEMENT
GSRTCમાં નોકરીની સુવર્ણ તક
ADVERTISEMENT
સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 2510 હેલ્પરની ભરતી જાહેર કરવામાં આવી છે. હેલ્પરની ભરતી માટે 7 સપ્ટેમ્બરથી ઑનલાઇન અરજી કરી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.