ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:42 PM, 3 February 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્રમાં પંચકને અશુભ માનવામાં આવે છે. પંચકની અવધિમાં અમુક શુભ કાર્યો પણ નિષેધ માનવામાં આવે છે. વર્ષ 2022નું બીજું પંચક 2 ફેબ્રુઆરી, બુધવારથી લાગી ચૂક્યું છે. આ 6 ફેબ્રુઆરી સુધી રહેશે. આવામાં જાણો છો કે પંચક દરમિયાન કયા કયા કામો ન કરવા જોઈએ? શું હોય છે પંચક?
શું છે પંચક?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે ચંદ્ર ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ તથા રેવતી નક્ષત્રોમાં પ્રવેશ કરે છે તો પંચક લાગે છે. આ ઉપરાંત જ્યારે ચંદ્રમા કુંભ તથા મીન રાશિમાં પ્રવેશ કરે છે તો પણ પંચક લાગે છે. આવામાં 2 ફેબ્રુઆરીથી ચંદ્રમા કુંભ રાશિમાં હાજર છે. પંચકને ભદવાના નામથી પણ ઓળખવામાં આવે છે.
ADVERTISEMENT
પંચક દરમિયાન કુંભ રાશિમાં ગજકેસરી યોગ
જ્યોતિષ અનુસાર, ગજકેસરી યોગ શુભ યોગોમાનો એક છે. ગજકેસરી યોગ ગુરુ તથા ચંદ્રમાની યુતિથી બને છે. આ યોગ જાતકને ઘણું શુભ ફળ પ્રદાન કરે છે.
પંચક ફેબ્રુઆરી 2022
પંચાંગ અનુસાર, પંચક 2 ફેબ્રુઆરી, બુધવારે સવારે 6 કલાક 45 મિનિટથી શરૂ થઈ ચૂક્યું છે. પંચકનું સમાપન 6 ફેબ્રુઆરી, રવિવારે સાંજે 5 કલાક 10 મિનિટ પર થશે.
ADVERTISEMENT
પંચકમાં ન કરવા જોઈએ આ 5 કામ
શાસ્ત્રો અનુસાર, પંચક દરમિયાન દક્ષિણ દિશાની યાત્રા, લાકડાના પલંગ ખરીદવા, છત નમાવવી, લાકડી ભેગી કરવી તથા ઘરની નીવ રાખવી વગેરે અશુભ માનવામાં આવ્યા છે. જોકે જ્યારે પંચક બુધવાર કે ગુરુવારથી શરૂ થાય ત્યારે આ પાંચ કાર્યો સિવાય અન્ય શુભ કાર્ય કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો