શ્રાવણમાસના છેલ્લા દિવસે આવી રહી છે અમાસ અને તેમાં પણ શનિવાર. એટલે શિવની ભક્તિ સાથે શનિદેવને પણ ભજી લો. થશે બેડોપાર
શનિશ્વરી અમાસે કરી લો આ ઉપાય
શનિની સાડાસાતી- ઢૈયામાં મળશે રાહત
શનિવારે આવી રહી છે અમાસ
27 ઑગષ્ટે શ્રાવણમાસનો છેલ્લો દિવસ છે. આ દિવસે અમાસ છે. ભાદ્રપદની અમાસ ઘણી વિશેષ છે. આ દિવસે દાન કરવાથી શનિદેવના પ્રકોપમાંથી મુક્તિ મળશે. હાલ શનિવક્રી અવસ્થામાં છે. હાલ તે પોતાની રાશિ મકરમાં સંક્રમણ કરી રહ્યો છે.જો કે ઑક્ટોબરમાં શનિદેવ વક્રી થશે. પરંતુ તે પહેલા જે લોકો શનિની સાડાસાતી અને ઢૈયાથી પ્રભાવિત છે તેવા લોકોએ આ અમાસે કેટલાક ઉપાયો કરી લેવા જોઇએ જેથી કરીને તેઓ પર શનિની દયાદ્રષ્ટિ બની રહે. કારણ કે આ પછી આ પ્રકારની અમાસ છેક 2025માં આવશે..
શું છે શનિની સાડાસાતી ?
શનિની ગ્રહ દશા જે સાડા સાત વર્ષ સુધી રહે છે તેને સાડાસાતી તરીકે ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં શનિની સાડાસાતી આવે છે. તેથી તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી. શનિ એક ન્યાયના દેવ છે, તમે જીવનમાં જે પણ કર્મ કરો છો તે કર્મ અનુસાર તમને ફળ આપે છે.
શનિશ્ચરી અમાસે કરી લો આ ઉપાય
શનિશ્વરી અમાસના દિવસે છાયા દાન અસરકારક ઉપાય છે. આ માટે સરસવનું તેલ લઈને તેમાં તમારો ચહેરો જોઈ તેનું દાન કરો.
આ સિવાય દર શનિવારે કીડીઓને કાળા તલના લોટ અને સાકરના લોટની બનેલી ગોળીઓ ખવડાવવી જોઈએ.
આ દિવસે કાળા તલ, કાળું કપડું, ધાબળો, લોખંડના વાસણો, અડદની દાળ આ લોકોને દાન કરવી જોઈએ.
શનિવારે હનુમાનજીને ગોળ ચણા અર્પણ કરવા જોઈએ.
શનિદેવની પૂજા કરો અને તેમને વાદળી ફૂલ ચઢાવો. તેની સાથે જ રૂદ્રાક્ષની માળામાં શનિ મંત્ર ઓમ શનિશ્ચરાય નમઃનો જાપ કરો.