ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:03 AM, 3 February 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
Ganesh Jayanti 2022: માઘ શુક્લ ચતુર્થીને ગણેશ જયંતીના રૂપમાં મનાવવામાં આવે છે. ગણેશ જયંતી આ વર્ષે 4 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ મનાવવામાં આવશે. જેને વિનાયક ચતુર્થી પણ કહેવાય છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશ જયંતી પર ભગવાન ગણેશની વિશેષ પૂજા તથા મંત્રોનો જાપ તેમને પ્રસન્ન કરી શકે છે. આ દિવસે પૂજા સિવાય અમુક ઉપાયો પણ ગણેશજીને પ્રસન્ન કરી શકે છે. આવો જાણીએ કે ગણેશ જયંતી પર કયા કયા ઉપાયો ગણેશજીને પ્રસન્ન કરી શકે છે.
ગણેશ જયંતી પર કરવામાં આવતા ઉપાયો
ગણેશ જયંતીના દિવસે ઘરમાં ગણેશ યંત્રની સ્થાપનાને અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે.
ADVERTISEMENT
ગણેશ જયંતીના દિવસે હાથીને ચારો આપવાથી પણ ગણેશજી પ્રસન્ન થાય છે તથા ભક્તોની મનોકામના પૂર્તિનાં આશીર્વાદ આપે છે. આ ઉપરાંત, આ દિવસે ઉંદરને અનાજ આપવું પણ શુભ માનવામાં આવે છે. જો શક્ય બને તો મૂશકને ભોજન આપો.
ગણેશ જયંતીના દિવસનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે જરૂરિયાતમન્દોને અન્ન, વસ્ત્ર તથા અનાજ વગેરેનું દાન આપવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે તથા મુશ્કેલીઓ દૂર કરે છે.
ADVERTISEMENT
ગણેશ જયંતી પર ભગવાન ગણેશને મોદકનો ભોગ લગાવો. સાથે જ આ દિવસે ભગવાન ગણેશને દૂર્વાની 5 ગાંઠ અર્પિત કરો. આવું કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત, આ દિવસે ગણેશ સ્તુતિ, ગણેશ ચાલીસા તથા કવાચનો પાઠ કરવાને શુભ તથા ફળદાયી માનવામાં આવે છે.
ગણેશજીની પૂજામાં તેમણે અક્ષત તથા દૂર્વા જરૂર ચઢાવો. માન્યતા ચઃએ કે આ બે વસ્તુઑ ગણેશજીને ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો