ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / મહારાસ એટલે માત્ર નૃત્ય નહીં! રાધાષ્ટમી પર જાણો રાધા-કૃષ્ણના દિવ્ય પ્રેમનું રહસ્ય

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / મહારાસ એટલે માત્ર નૃત્ય નહીં! રાધાષ્ટમી પર જાણો રાધા-કૃષ્ણના દિવ્ય પ્રેમનું રહસ્ય

Last Updated: 11:10 PM, 18 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાધા અષ્ટમીએ મહારાસ કરવામાં આવે છે. જેમાં તે માત્ર નૃત્ય નહીં પણ ભક્તિની એ ઉચ્ચ અવસ્થા છે જ્યાં અહંકાર અને સ્વાર્થ ઓગળી જાય છે. જેમાં આ રાધા-કૃષ્ણનો પ્રેમ નિષ્કામ સમર્પણનું સર્વોચ્ચ ઉદાહરણ છે.

1/6

photoStories-logo

1. રાધા અષ્ટમી

રાધા અષ્ટમી આપણને રાધા-કૃષ્ણના દિવ્ય પ્રેમની યાદ અપાવે છે. આ વર્ષે આ પર્વ 19 સપ્ટેમ્બરે ઊજવાશે. જેમાં ઘણી વાર લોકો મહારાસને માત્ર એક સામાન્ય નૃત્ય કે નાચ-ગાનની ઘટના માની લે છે અને તેનો ઉપહાસ પણ કરે છે. પરંતુ હકીકતમાં મહારાસ ભક્તિની એ ઊંચી અવસ્થા છે જ્યાં ભક્તનો અહંકાર, સાંસારિક આસક્તિ અને સ્વાર્થ પૂરેપૂરો ઓગળી જાય છે અને ભગવાન પ્રત્યે સંપૂર્ણ સમર્પણનો ભાવ જાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મહારાસનું મહત્વ

વૈષ્ણવ ભક્તિ પરંપરામાં રાધારાણીને શ્રીકૃષ્ણની આહ્લાદિની શક્તિ માનવામાં આવે છે. જેમાં કૃષ્ણ આનંદના સ્વરૂપ છે અને રાધા તે આનંદને અનુભવ કરાવનારી શક્તિ છે. તેથી રાધા અને કૃષ્ણને અલગ-અલગ જોવાને બદલે તેમના સંબંધને દિવ્ય પ્રેમ અને ભક્તિના સર્વોચ્ચ સ્વરૂપ તરીકે સમજવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. વિકારો પર વિજય

ભક્તિનો માર્ગ સહેલો નથી. સાધકને પોતાની અંદરની આસક્તિઓ અને વિકારો પર વિજય મેળવવો પડે છે. જેમાં ત્યાગ, તપસ્યા, સંયમ, સમર્પણ અને નિષ્કામ પ્રેમ જેવા ભાવોને સાધીને જ મહારાસ જેવી અવસ્થાનો અનુભવ થઈ શકે છે. આ અવસ્થામાં પ્રવેશ કોઈ બાહ્ય અધિકારથી નહીં પણ અંતરની પાત્રતા અને પૂરી ભક્તિથી જ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વાસનાથી ન જોડવું

જેમાં મહારાસને કામ અને વાસનાથી જોડવું તેના આધ્યાત્મિક અર્થને ન સમજવા જેવું છે. ભગવાન શિવને કામદેવ પર વિજય મેળવનારા તરીકે યાદ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે શિવ પોતે પણ મહારાસના દર્શન માટે આવ્યા હતા અને સખી બનીને શ્રીકૃષ્ણ સાથે નૃત્ય પણ કર્યું હતું. આ પ્રસંગ સ્પષ્ટ કરે છે કે મહારાસને સાંસારિક કામનાના સ્તરે નહીં પણ પરમ આધ્યાત્મિક આનંદની દૃષ્ટિએ જોવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. પામવાની ઇચ્છા નહીં પણ સમર્પણ ભાવના

રાધા-કૃષ્ણનો પ્રેમ પામવાની ઇચ્છાથી નહીં પણ આપવા અને સમર્પિત થવાની ભાવનાથી જોડાયેલો છે. જેમાં રાધાનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ કોઈ અપેક્ષા વગરનો છે. આ જ નિષ્કામતા તેમને ભક્તિનું આદર્શ બનાવે છે. જે પ્રેમમાં અહંકાર ઓગળી જાય, સ્વાર્થ ન રહે અને ભક્તનું સમગ્ર મન પરમાત્માને સમર્પિત થઈ જાય તે જ પ્રેમ ભક્તિની ઊંચી અવસ્થા સુધી લઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Radha Ashtami Maharaas Radha and Krishna
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ