ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / દિવાળીએ અયોધ્યા જવાનું વિચારો છો? તો આ 5 સ્થળોએ ગયા વગર યાત્રા ગણાશે અધૂરી!
Last Updated: 01:20 PM, 13 October 2025
ADVERTISEMENT
અયોધ્યાની દિવાળી ભક્તિ અને ઉદ્દેશ્યની એક અનોખી ભાવના જગાવે છે. અહીં, દરેક દીવો વર્ષોના વનવાસ પછી ભગવાન રામના ઘરે પાછા ફરવાની કહાની કહે છે. આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબરે આવે છે, પરંતુ અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી બે દિવસ પહેલા શરૂ થાય છે. તમે અયોધ્યા જઈ રહ્યા છો, તો આ સ્થળોની મુલાકાત પણ જરૂર લેવી જોઇએ. નહીં તો તમારી યાત્રા અધૂરી રહેશે.
ADVERTISEMENT
રામ મંદિર અને રામ કી પૈડી ઘાટ
અયોધ્યામાં નવ નિર્મિત રામમંદિરની મુલાકાત લાખો યાત્રિકો લઇ રહ્યા છે. આ મંદિર દીવાઓ અને ફૂલોની સજાવટથી જગમગી રહ્યુ છે. પરંતુ વાસ્તવિક જાદુ નજીકના રામ કી પૈડી પર થાય છે. અહીં, ઘાટના કિનારે લાખો દીવા પ્રગટાવવામાં આવે છે, પાણીમાં તેમનું પ્રતિબિંબ સ્વર્ગથી ઓછુ નથી.
ADVERTISEMENT

હનુમાન ગઢી મંદિર
ADVERTISEMENT
અયોધ્યામાં એક ઉંચી ટેકરી પર આવેલું હનુમાન ગઢી, દિવાળી દરમિયાન ભક્તિનું મુખ્ય કેન્દ્ર બની જાય છે. મંદિરના પગથિયાં પર હજારો દીવાઓ રોશની કરે છે. અહીંથી દેખાતો નજારો આખા અયોધ્યા શહેરને એક ચમકતો નજારો બનાવે છે.
સરયુ ઘાટ અને નયા ઘાટ
ADVERTISEMENT
દિવાળીની સાંજે સરયુ નદી ભક્તિનું કેન્દ્ર બની જાય છે. નયા ઘાટ પર આરતી દરમિયાન નદીના પાણી પર તરતા હજારો દીવાઓનું દૃશ્ય હૃદયસ્પર્શી રહે છે. નદી પર ઝળહળતી રોશની અયોધ્યાના દિવાળી ઉજવણીનો એક યાદગાર હિસ્સો છે.

ADVERTISEMENT
કનક ભવન મંદિર
આ મંદિર ભગવાન રામ અને દેવી સીતાને સમર્પિત છે અને તે અયોધ્યાના સૌથી સુંદર મંદિરોમાંનું એક છે. દિવાળી દરમિયાન, તેના આંતરિક ભાગને સોનેરી રંગો અને ફૂલોના માળાથી સુંદર રીતે શણગારવામાં આવે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ધર્મ / ધનતેરસ પહેલા સર્જાશે સૂર્ય-મંગળની યુતિ, જેથી આ 4 રાશિવાળાઓ પર થશે ધનનો વરસાદ
નાગેશ્વર નાથ મંદિર
ભગવાન શિવને સમર્પિત આ પ્રાચીન મંદિર દિવાળી દરમિયાન વધુ સુંદર લાગે છે. આ સ્થળ એવા લોકો માટે સારુ છે જેઓ શોર-શરાબાથી દૂર શાંતિપૂર્ણ પૂજા કરવા માંગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો