જાણો NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદ વિશે...
By : admin 02:54 PM, 19 June 2017 | Updated : 03:11 PM, 19 June 2017
|
નવી દિલ્હી: રામનાથ કોવિંદ (જન્મ: 1 ઓક્ટોબર 1945) ભારતીય જનતા પાર્ટીના રાજનેતા છે. તેઓ રાજ્યસભાના સદસ્ય રહી ચૂક્યા છે અને સમ્પ્રતિ બિહારના રાજ્યપાલ છે. સત્તાધાર એનડીએ દ્વારા 19 જૂન 2017ના રોજ ભારતના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
જીવન પરિચય
રામનાથ કોવિન્દનો જન્મ ઉત્તરપ્રદેશના કાનપુર જીલ્લાના તહસીલ ડેરાપુરના એક નાનકડા ગામ પરૌંખમાં થયો હતો. કોવિન્દનો સંબંધ કોરી અથવા કોળી જાતી સાથે છે જે ઉત્તરપ્રદેશમાં અનુસૂચિત જાતિ હેઠળ આવે છે. વકીલાતની ઉપાધી લીધા બાદ દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાતની શરૂઆત કરી હતી.
તેઓ 1977થી 1979 સુધી દિલ્હી હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારના વકીલ રહ્યા હતા. 8 ઓગષ્ટ 2015ના રોજ બિહારના રાજ્યપાલ પદ પર તેમની નિયુક્તિ કરવામાં આવી.
રાજનીતિ
વર્ષ 1991માં ભારતીય જનતા પાર્ટીમાં સમ્મિલિત થઇ ગયા છે. વર્ષ 1994માં ઉત્તરપ્રદેશ રાજ્યથી રાજ્ય સભાના સભ્ય ચૂંટાયા. વર્ષ 2000માં પુન: ઉત્તરપ્રદેશ રાજ્યથી રાજ્યસભા માટે ચૂંટાયા. આ પ્રકારે કોવિન્દ સતત 12 વર્ષ સુધી રાજ્યસભાના સદસ્ય રહ્યા.
તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. શ્રી કોવિન્દનું નામ ભાજપના રાષ્ટ્રપતિ અધ્યક્ષ અમિત શાહે 19 જૂન 2017ના રોજ એનડીએના સર્વસમ્મત રાષ્ટ્રપતિ ઉમેદવારના રૂપમાં જાહેર કરવામાં આવ્યા.
સમાજ સેવા
તેઓ ભાજપ દલિત મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અખિલ ભારતીય કોળી સમાજ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. વર્ષ 1986માં દલિત વર્ગના કાનૂની સહાયતા બ્યૂરોના મહામંત્રી પણ રહ્યા હતા.
|
|
|