બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / World Malaria Day Know the symptoms and prevention of malaria

હેલ્થ / World Malaria Day: શા માટે ઉજવવામાં આવે છે મેલેરિયા દિવસ? જાણો લક્ષણો અને બચવાના ઉપાય

Megha

Last Updated: 09:00 AM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોને મેલેરિયા વિશે જાગૃત કરવાનો અને તેમના જીવનની સુરક્ષા કરવાનો છે, દર વર્ષે 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

મેલેરિયા કે જે મચ્છરો દ્વારા ફેલાતી સૌથી જીવલેણ બીમારી છે કે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર ડંખ મારતી વખતે આપણા લોહીમાં પોતાના પરોપજીવી છોડે છે. આ પરોપજીવી શરીરમાં પ્રવેશતાની સાથે જ તે લીવર તરફ આગળ વધે છે. પરિપક્વતાના થોડા દિવસો બાદ પરોપજીવી લોહીમાં પ્રવેશ કરે છે અને લાલ રક્ત કોશિકાઓને નુકસાન પહોંચાડે છે.

Tag | VTV Gujarati

લોકોને આ ખતરનાક સંક્રમણ વિશે જાગૃત કરવા માટે દર વર્ષે 25મી એપ્રિલે 'વિશ્વ મેલેરિયા દિવસ' (World Malaria Day) ઉજવવામાં આવે છે. ત્યારે આજે અમે તમને આ રોગના લક્ષણો, સારવાર અને તેના નિવારણની રીતો સહિતની માહિતી આપીશું.

વિશ્વ મેલેરિયા દિવસ પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવ્યો
25 એપ્રિલ 2008ના રોજ પ્રથમ વખત 'વિશ્વ મેલેરિયા દિવસ' મનાવવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણી કરવાનો હેતુ મેલેરિયા જેવા ખતરનાક રોગ પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનોઅને તે પ્રત્ય જાગૃત્તા ફેલાવોનો છે. જે રોગથી દર વર્ષે લાખો લોકોના ભોગ લેવાય છે. વધુમાં જણાવી દઈએ કે, આફ્રિકામાં મેલેરિયાના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં લોકોના ભોગ લેવાતા હતાં ત્યાં મેલેરિયાથી બચવા માટે દર વર્ષે આફ્રિકા મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવતી હતી. જેને ધ્યાનમાં રાખીને વર્ષ 2007માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના 60માં સત્રમાં વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યાર પછી વર્ષ 2008થી દર વર્ષે 25 એપ્રિલે ઉજવવાનું શરૂ કરાયું છે.

Topic | VTV Gujarati

જાણો મેલેરિયાના લક્ષણો
મેલેરિયાના કારણે દર્દીને ઘણી વાર ઠંડી લાગે છે. તેમાં વધારે તાવ આવે છે. દર્દીને ખૂબ પરસેવો થાય છે. આ સિવાય માથાનો દુખાવો, ઉબકા આવવા, ઉલટી, પેટમાં દુખાવો, ઝાડા, એનિમિયા અને સ્નાયુમાં દુખાવો જેવી ફરિયાદો થઈ શકે છે. મલેરિયાના કેટલાંક દર્દીઓમાં આંચકી આવવી, કોમા અથવા મળમાં લોહી આવવાની સમસ્યા પણ જોવા મળે છે. ત્યારે જો ભૂલથી પણ તમારા શરીરમાં આ લક્ષણો દેખાય તો તમારે તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

મલેરિયાનું ઘાતક સ્વરૂપ
મેલેરિયાના સંક્રમણમાં જો દર્દીને સમયસર સારવાર આપવામાં ન આવે તો તેના ઘાતક પરિણામો આવી શકે છે. દર્દીના મગજની રક્તવાહિનીઓમાં બળતરા વધી શકે છે. ફેફસામાં પ્રવાહી જમા થવાને કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. તબીબી ભાષામાં તેને 'પલ્મોનરી એડીમા' કહેવાય છે. એ સિવાય લિવર, કીડની અને બરોળ જેવાં મુખ્ય અંગો ફેલ થઈ શકે છે. લાલ રક્ત કોશિકાઓને નુકસાન એનિમિયા તરફ દોરી શકે છે. દર્દીને લો બ્લડ શુગરની સમસ્યા પણ થઈ શકે છે.

Malaria can be fatal if not treated on time, know the symptoms and remedies

મેલેરિયાથી બચવા શું કરવું?
મેલેરિયાથી બચવા માટે પહેલાં મચ્છરોને ઘરની અંદર કે બહાર પ્રજનન કરતા અટકાવો. એ માટે તમારી આસપાસ સ્વચ્છતાનું ધ્યાન રાખો. સ્થિર પાણીમાં મચ્છરોને પેદા ન થવા દો. તે માટે વરસાદ શરૂ થાય તે પહેલાં ઘરની નજીકની ગટરોની સફાઈ કરાવી દો અને રસ્તાઓ પરના ખાડાઓને પૂરી દો. સમયાંતરે ઘરના ખૂણે-ખૂણે જંતુનાશકોનો છંટકાવ કરતા રહો. ઘરની અંદર કે આજુબાજુના કુલર, એસી, કુંડા અને ટાયર વગેરેમાં પાણી જમા ન થવા દેવું. પાણીની ટાંકીઓને પણ બરાબર ઢાંકી રાખો.

વધુ વાંચો: વજન ઘટાડવા ડાયટિંગ કરતા હોય તો ધ્યાન રાખજો, હેલ્ધી દેખાતા આ ફૂડથી પણ વજન વધી શકે

નાગરિકોને અપીલ
માત્ર નિદાન અને સારવાર જ નહીં, આપણા વ્યક્તિગત અને સામુદાયિક વાતાવરણમાં સ્વચ્છતા અને મેલેરિયા સામેની આપણી સામૂહિક લડાઈમાં અને 2030 સુધીમાં દેશમાંથી મેલેરિયાને નાબૂદ કરવાના આપણા ધ્યેયને પૂર્ણ કરવા માટે મેલેરિયા નિયંત્રણ અને નિવારણ અંગેની સામાજિક જાગૃતિ એટલી જ મહત્વપૂર્ણ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ