બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / સ્પોર્ટસ / Cricket / 'જસપ્રીત બુમરાહે IPLની બાકીની મેચમાં ન રમવું જોઈએ...', પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે આપી સલાહ, જાણો કેમ

IPL 2024 / 'જસપ્રીત બુમરાહે IPLની બાકીની મેચમાં ન રમવું જોઈએ...', પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે આપી સલાહ, જાણો કેમ

Last Updated: 06:07 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકાતા નાઈટ રાઈડર્સ સામે જસપ્રિત બુમરાહે 3.5 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ લીધી હતી. હવે જસપ્રીત બુમરાહ 11 મેચમાં 17 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 24 રનથી હરાવ્યું. આ હાર બાદ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્લેઓફ રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. આ મેચ પછી જસપ્રિત બુમરાહ પર પૂર્વ ભારતીય વસીમ જાફરનું નિવેદન આવ્યું છે. જસપ્રીત બુમરાહે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. આ બોલરે 3.5 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ લીધી હતી. હવે જસપ્રિત બુમરાહ 11 મેચમાં 17 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે, પરંતુ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરનું માનવું છે કે જસપ્રિત બુમરાહે આ સિઝનની આગામી મેચોમાં રમવું જોઈએ નહીં.

mumbai-indians

જસપ્રીત બુમરાહે IPLની આગામી મેચોમાં કેમ ના રમવું જોઈએ?

વસીમ જાફરનું કહેવું છે કે કારણ કે મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર છે. તેથી, જસપ્રીત બુમરાહે આગામી મેચોનો ભાગ ન હોવો જોઈએ, કારણ કે આ પછી ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં રમશે. જો જસપ્રીત બુમરાહને આ ટૂર્નામેન્ટ પહેલા આરામ આપવામાં આવે તો ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપમાં ફાયદો થશે. વાસ્તવમાં, મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઓફ રમવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે, તેથી વસીમ જાફર ઈચ્છે છે કે જસપ્રિત બુમરાહને આરામ મળે. જસપ્રીત બુમરાહ ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે મોટો ફેક્ટર સાબિત થઈ શકે છે.

વધુ વાંચો : ચોથી વાર આવું બન્યું! MI vs KKR મેચમાં બન્યો ગજબ રેકોર્ડ, IPLની એક જ મેચમાં બંને ટીમો ઓલઆઉટ

તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહનું આ સિઝનમાં પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સના આ બોલરે 11 મેચમાં 16.12ની એવરેજથી 17 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે. જોકે મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સના 11 મેચમાં માત્ર 6 પોઈન્ટ છે. અત્યાર સુધીમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે 3 મેચ જીતી છે, જ્યારે 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ