બ્રેકિંગ ન્યુઝ
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા
ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ
VTV / સ્પોર્ટસ / Cricket / 'જસપ્રીત બુમરાહે IPLની બાકીની મેચમાં ન રમવું જોઈએ...', પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે આપી સલાહ, જાણો કેમ
Last Updated: 06:07 PM, 4 May 2024
કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 24 રનથી હરાવ્યું. આ હાર બાદ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્લેઓફ રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. આ મેચ પછી જસપ્રિત બુમરાહ પર પૂર્વ ભારતીય વસીમ જાફરનું નિવેદન આવ્યું છે. જસપ્રીત બુમરાહે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. આ બોલરે 3.5 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ લીધી હતી. હવે જસપ્રિત બુમરાહ 11 મેચમાં 17 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે, પરંતુ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરનું માનવું છે કે જસપ્રિત બુમરાહે આ સિઝનની આગામી મેચોમાં રમવું જોઈએ નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT
વસીમ જાફરનું કહેવું છે કે કારણ કે મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર છે. તેથી, જસપ્રીત બુમરાહે આગામી મેચોનો ભાગ ન હોવો જોઈએ, કારણ કે આ પછી ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં રમશે. જો જસપ્રીત બુમરાહને આ ટૂર્નામેન્ટ પહેલા આરામ આપવામાં આવે તો ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપમાં ફાયદો થશે. વાસ્તવમાં, મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઓફ રમવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે, તેથી વસીમ જાફર ઈચ્છે છે કે જસપ્રિત બુમરાહને આરામ મળે. જસપ્રીત બુમરાહ ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે મોટો ફેક્ટર સાબિત થઈ શકે છે.
વધુ વાંચો : ચોથી વાર આવું બન્યું! MI vs KKR મેચમાં બન્યો ગજબ રેકોર્ડ, IPLની એક જ મેચમાં બંને ટીમો ઓલઆઉટ
તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહનું આ સિઝનમાં પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સના આ બોલરે 11 મેચમાં 16.12ની એવરેજથી 17 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે. જોકે મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સના 11 મેચમાં માત્ર 6 પોઈન્ટ છે. અત્યાર સુધીમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે 3 મેચ જીતી છે, જ્યારે 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT