બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:50 PM, 16 May 2024
ઈન્ડિયન પ્રીમિયર લીગ પછી તરત જ ભારતીય ટીમે આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં રમવાનો છે. આ ટુર્નામેન્ટને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની તૈયારી તરીકે જોવામાં આવી રહી હતી. કેટલાક ખેલાડીઓએ અહીં સારું પ્રદર્શન કર્યું છે પરંતુ કેપ્ટન રોહિત શર્મા અને તેના ઓપનિંગ પાર્ટનર યશસ્વી જયસ્વાલનું પ્રદર્શન અપેક્ષા મુજબનું નથી રહ્યુ. આ સિઝનમાં બંનેએ ચોક્કસપણે સદી ફટકારી છે પરંતુ તે સિવાય તેઓ કોઈ ખાસ બેટિંગમાં પ્રભાવ પાડી શક્યા નથી.
ADVERTISEMENT
T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે ઓપનિંગ કરવાનો પહેલો વિકલ્પ રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની જોડી છે. ટેસ્ટ ક્રિકેટમાં આ બંને ભારત માટે સતત ઇનિંગ્સની શરૂઆત કરે છે. આ ફોર્મેટમાં આ જોડી હિટ રહી છે. ટી20માં આ બંને પર મોટી જવાબદારી રહેશે. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ આક્રમક બેટિંગ માટે જાણીતા છે, તેથી ટીમ મેનેજમેન્ટ આ જોડી પર વિશ્વાસ કરશે. જો કે રોહિતની સાથે વિરાટ કોહલીને પણ ઇનિંગની શરૂઆત કરવા માટે મોકલી શકાય છે.
ADVERTISEMENT
રોહિત શર્મા તેની છેલ્લી કેટલીક મેચોમાં રન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી છેલ્લી મેચમાં તેના બેટમાંથી માત્ર 19 રન જ બન્યા હતા જ્યારે તે પહેલા તે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે માત્ર 4 રન જ બનાવી શક્યો હતો. કોલકાતા સામે 11 જ્યારે લખનૌ સાથે રમાયેલી અગાઉની મેચમાં તેના બેટમાંથી માત્ર 4 રન આવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ સામે પણ રોહિત શર્મા માત્ર 8 રન જ બનાવી શક્યો હતો. રોહિત શર્માએ આ સિઝનમાં અત્યાર સુધી 13 મેચ રમીને 349 રન બનાવ્યા છે. જેમાં 105 રનની ઇનિંગ પણ સામેલ છે.
આ પણ વાંચોઃ વિરાટ કોહલીએ પહેલી વખત પોતાના રિટાયરમેન્ટ પ્લાન પર ખુલીને કરી વાત, જુઓ વીડિયો
યશસ્વી જયસ્વાલ ટી20 વર્લ્ડ કપની શરૂઆત ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે કરશે પરંતુ તેનું તાજેતરનું ફોર્મ સારું રહ્યું નથી. આ સિઝનમાં તેણે માત્ર બે મેચમાં જ પચાસથી ઉપરના આંકડાને સ્પર્શ કર્યો છે. આમાંથી એક સદીની ઈનિંગ છે જે મુંબઈ ઈન્ડિયન્સ સામે જોવા મળી હતી અને બીજી 67 રનની ઈનિંગ છે જે હૈદરાબાદ સામે રમાઈ હતી. આ સિવાય તેણે 10, 0, 24, 39, 19, 24, 4 અને 24 રનની ઇનિંગ્સ રમી છે. રોહિતની જેમ જ યશસ્વી જયસ્વાલે 13 મેચ રમી છે અને તેના ખાતામાં 348 રન છે. જેમાં 104 રનની ઇનિંગ પણ સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.