બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / સિવિલ હોસ્પિટલમાં NOCના સાધનોમાં કૌભાંડ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટનું નામ સામે આવતા કર્યો ખુલાસો

ખુલાસો / સિવિલ હોસ્પિટલમાં NOCના સાધનોમાં કૌભાંડ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટનું નામ સામે આવતા કર્યો ખુલાસો

Last Updated: 07:23 PM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની જાળવણીનાં કોન્ટ્રાક્ટમાં કૌભાંડ મામલે સુપ્રિડેન્ડેન્ટનું નામ ખુલતા આ સમગ્ર મામલે સિવિલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની જાળવણીનાં કોન્ટ્રાક્ટ પાંચ વર્ષમાં કુલ 73 કરોડ રૂપિયાનું કૌભાંડ થયાનું સામે આવ્યું હતું. આ કૌભાંડમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટનું નામ ખુલ્યું હતું.

પેટા કોન્ટ્રાક્ટની જોગવાઈ નહીં છતાં પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો

કોન્ટ્રાક્ટનાં માલિક તરીકે સિવિલ સુપ્રિટેન્ડેન્ટનું નામ ખુલવા પામ્યું હતું. વાર્ષિક 1.82 લાખમાં મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેની સામે 21 લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો છે. તેમજ પેટા કોન્ટ્રાક્ટની જોગવાઈ નહી છતાં પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. હોસ્પિટલનાં એક કર્મચારીએ બિલ અટકાવ્યું તો તેમની બદલી કરી દેવામાં આવી હતી.

શરત ચૂકના કારણે મારું નામ NOC સર્ટિફિકેટમાં આવ્યું છેઃ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ

આ સમગ્ર મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ર્ડા. રાધેશ્યામ ત્રિવેદીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, શરત ચૂકના કારણે મારૂ નામ એનઓસી સર્ટિફિકેટમાં આવ્યું છે. મે ગત 13 તારીખનાં રોજ મનપાનાં ચીફ ફાયર ઓફીસરને પત્ર લખ્યો હતો. પત્રનાં આધારે નવું એનઓસી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. જેમાં મારૂ નામ દર્શાવવામાં આવેલ નથી.

vlcsnap-2024-05-18-15h32m18s383

સિવિલ સુપ્રિટેન્ડેન્ટે શું ખુલાસો કર્યો

આ સમગ્ર મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ર્ડા. રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છની સૌથી મોટી હોસ્પિટલ છે. અત્યારે 2000 બેડ આ હોસ્પિટલમાં છે. તેમજ હોસ્પિટલમાં હાલ 13 થી 14 બિલ્ડીંગ છે. તમામ બિલ્ડીંગોમાં ફાયર એનઓસી હોવી જોઈએ. ફાયર એનઓસીનાં મેન્ટેનન્સની વાત છે એનઓસી કોર્પોરેશન તરફથી આપવામાં આવે છે.

વધુ વાંચોઃ દ્વારકા-સોમનાથ હાઈવે પર યાત્રાળુઓને લઈ જતી બસનો ગમખ્વાર અકસ્માત, 30થી વધુ યાત્રાળુઓ ઈજાગ્રસ્ત

સમગ્ર બાબત મારા ધ્યાન પર આવતા સુધારો કરેલ સર્ટીફીકેટ આવી ગયુંઃ ર્ડા.રાધેશ્યામ ત્રિવેદી

હાલ મારી પાસે 14 થી 15 એનઓસી છે. જેમાં એક એનઓસી પીએસએસવાય બિલ્ડીંગનું છે. જેમાં શરત ચૂકથી કહી શકીએ કે મારૂ નામ શરત ચૂકથી આવી ગયું છે. ત્યારે આ બાબત મારા ધ્યાન ઉપર આવતા ત્યારે હું તરત જ આ માટે કોર્પોરેશનને અરજી કરી હતી. કદાચ ટાઈપીંગ મીસ્ટેક થઈ શકે. હાલ સુધારો કરેલું સર્ટીફીકેટ આવી ગયું છે. આમાં શરત ચૂકથી આ ભૂલ થઈ શકે.

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot News Rajkot Civil Hospital Rajkot Civil Hospital Scam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ