બ્રેકિંગ ન્યુઝ
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા
ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ
VTV / ગુજરાત / અમિત શાહનો દક્ષિણ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર, કોંગ્રેસ અને રાહુલ ગાંધીને નિશાન બનાવી કર્યા પ્રહાર
Last Updated: 07:10 PM, 4 May 2024
લોકસભાની ચૂંટણીના મતદાનને હવે માત્ર ત્રણ દિવસની જ વાર છે. ત્યારે રાજ્યમાં બરાબરનો ચૂંટણી માહોલ જામ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. તેમણે આજે ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. બોડેલી બાદ તેમણે વાંસદામાં જનમેદનનીને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે I.N.D.I.A. ગઠબંધન અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ પાર્ટીને આદિવાસીવિરોધી પાર્ટી ગણાવી હતી.
ADVERTISEMENT
વાંસદમાં ગૃહમંત્રી અમિત શાહે કર્યું સંબોધન
ADVERTISEMENT
તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ આદિવાસીને ક્યારેય રાષ્ટ્રપતિ બનાવ્યા નથી, જ્યારે પ્રધાનમંત્રી મોદીએ આદિવાસી દીકરી દ્રોપદી મૂર્મુને રાષ્ટ્રપતિ બનાવ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, AAP અને કોંગ્રેસ નકસલવાદ પેદા કરવા માંગે છે. આપણે કોંગ્રેસનો આ ઈરાદો પૂર્ણ કરવા દેવાનો નથી. વધુમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કોરોનાની રસી મામલે પ્રહાર કરતા કહ્યું કે,કોરોનાની રસી આપી પ્રધાનમંત્રી મોદીએ લોકોના જીવ બચાવ્યા છે, ત્યારે રાહુલબાબા કોરોનાની રસી લેવાની ના પાડતા હતા. અને એ ભાઈ-બહેન રાતના અંધારામાં જઈને રસી મુકાવી આવ્યા છે.
અનામત, બંધારણ અને તૃષ્ટિકરણ મુદ્દે બોલ્યા
ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારને ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દક્ષિણ ગુજરાતની બેઠકો પર ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. દમણ અને દાદરા નગર હવેલી બેઠકના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દમણ ખાતે જાહેર સભા સંબોધી હતી. અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને નિશાન બનાવી આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ દ્વારા અનામત, બંધારણ, તૃષ્ટિકરણ સહિતની બાબતો પર થઈ રહેલા આક્ષેપો અંગે અમિત શાહે જવાબ આપીને કોંગ્રેસને જુઠ્ઠાણાનુ કારખાનુ કહ્યુ હતુ. જ્યારે દેશને સુરક્ષિત રાખવા અને દલિત તેમજ આદિવાસી સમાજના કલ્યાણ માટે વડાપ્રધાનપદનો શ્રેષ્ઠ વિકલ્પ નરેન્દ્ર મોદી હોવાનુ જણાવ્યુ હતુ. રાહુલ ગાંધીએ વાયનાડ બાદ રાયબરેલીથી કરેલી ઉમેદવારી બાબતે રાહુલ નામનુ યાન 21 મી વખત લોન્ચ કરાયુ હોવાનુ કહેતાં જાહેરસભામાં રમૂજ પ્રસરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT