બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ગુજરાત / અમિત શાહનો દક્ષિણ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર, કોંગ્રેસ અને રાહુલ ગાંધીને નિશાન બનાવી કર્યા પ્રહાર

ચૂંટણી 2024 / અમિત શાહનો દક્ષિણ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર, કોંગ્રેસ અને રાહુલ ગાંધીને નિશાન બનાવી કર્યા પ્રહાર

Last Updated: 07:10 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારને ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દક્ષિણ ગુજરાતની બેઠકો પર ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો

લોકસભાની ચૂંટણીના મતદાનને હવે માત્ર ત્રણ દિવસની જ વાર છે. ત્યારે રાજ્યમાં બરાબરનો ચૂંટણી માહોલ જામ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. તેમણે આજે ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. બોડેલી બાદ તેમણે વાંસદામાં જનમેદનનીને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે I.N.D.I.A. ગઠબંધન અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ પાર્ટીને આદિવાસીવિરોધી પાર્ટી ગણાવી હતી.

વાંસદમાં ગૃહમંત્રી અમિત શાહે કર્યું સંબોધન

તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ આદિવાસીને ક્યારેય રાષ્ટ્રપતિ બનાવ્યા નથી, જ્યારે પ્રધાનમંત્રી મોદીએ આદિવાસી દીકરી દ્રોપદી મૂર્મુને રાષ્ટ્રપતિ બનાવ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, AAP અને કોંગ્રેસ નકસલવાદ પેદા કરવા માંગે છે. આપણે કોંગ્રેસનો આ ઈરાદો પૂર્ણ કરવા દેવાનો નથી. વધુમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કોરોનાની રસી મામલે પ્રહાર કરતા કહ્યું કે,કોરોનાની રસી આપી પ્રધાનમંત્રી મોદીએ લોકોના જીવ બચાવ્યા છે, ત્યારે રાહુલબાબા કોરોનાની રસી લેવાની ના પાડતા હતા. અને એ ભાઈ-બહેન રાતના અંધારામાં જઈને રસી મુકાવી આવ્યા છે.

વાંચવા જેવું: કોઈએ બળદ ગાડું ચલાવ્યું તો કોઈએ કર્યો ડાન્સ, મતદારોને રીજવવા નેતાઓનો અનોખા અંદાજમાં પ્રચાર, જુઓ વીડિયો

અનામત, બંધારણ અને તૃષ્ટિકરણ મુદ્દે બોલ્યા

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારને ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દક્ષિણ ગુજરાતની બેઠકો પર ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. દમણ અને દાદરા નગર હવેલી બેઠકના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દમણ ખાતે જાહેર સભા સંબોધી હતી. અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને નિશાન બનાવી આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ દ્વારા અનામત, બંધારણ, તૃષ્ટિકરણ સહિતની બાબતો પર થઈ રહેલા આક્ષેપો અંગે અમિત શાહે જવાબ આપીને કોંગ્રેસને જુઠ્ઠાણાનુ કારખાનુ કહ્યુ હતુ. જ્યારે દેશને સુરક્ષિત રાખવા અને દલિત તેમજ આદિવાસી સમાજના કલ્યાણ માટે વડાપ્રધાનપદનો શ્રેષ્ઠ વિકલ્પ નરેન્દ્ર મોદી હોવાનુ જણાવ્યુ હતુ. રાહુલ ગાંધીએ વાયનાડ બાદ રાયબરેલીથી કરેલી ઉમેદવારી બાબતે રાહુલ નામનુ યાન 21 મી વખત લોન્ચ કરાયુ હોવાનુ કહેતાં જાહેરસભામાં રમૂજ પ્રસરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ