બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / બિઝનેસ / ભારત / સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો, પરંતુ 40 ટકા નિકાસ જકાત લાદી

ગરીબોની ક્સ્તૂરી / સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો, પરંતુ 40 ટકા નિકાસ જકાત લાદી

Last Updated: 04:12 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણી વચ્ચે સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. પરંતુ બીજી તરફ લઘુત્તમ નિકાસ કિંમત (MEP) પ્રતિ ટન $550 નક્કી કરી છે.

દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી વચ્ચે સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. પરંતુ બીજી તરફ લઘુત્તમ નિકાસ કિંમત (MEP) પ્રતિ ટન $550 નક્કી કરી છે. આ સિવાય સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી પણ લગાવી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ એક સૂચનામાં જણાવ્યું હતું કે, "ડુંગળીની નિકાસ નીતિમાં સુધારા કરી તાત્કાલિક અસરથી, અને બીજો આદેશ ન આવે ત્યાં સુધી $550 પ્રતિ ટનની MEP હેઠળ પ્રતિબંધથી મુક્ત કરવામાં આવી છે. આ સાથે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી નક્કી કરવામાં આવી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, ભારત સરકારે 31 ડિસેમ્બર, 2023 સુધી ડુંગળી પર 40 ટકા નિકાસ જકાત લાદી હતી.

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ ક્યારે લાદવામાં આવ્યો?

સરકારે 8 ડિસેમ્બર, 2023 ના રોજ ડુંગળીની નિકાસ પર 31 માર્ચ, 2024 સુધી પ્રતિબંધ મૂક્યો હતો. માર્ચમાં નિકાસ પ્રતિબંધને લંબાવવામાં આવ્યો હતો. માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં 34.31 લાખ ટન, કર્ણાટકમાં 9.95 લાખ ટન, આંધ્રપ્રદેશમાં 3.54 લાખ ટન અને રાજસ્થાનમાં 3.12 લાખ ટન ઉત્પાદન ઘટ્યું છે. મહારાષ્ટ્રના ખેડૂતોએ નિકાસ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. ગયા મહિને કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકાર પર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને કારણે મહારાષ્ટ્રના ખેડૂતોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચોઃ રાજસ્થાન થઇ જશે માલામાલ! આ જગ્યાએથી મળી આવ્યો સોનાનો અખૂટ ભંડાર? તપાસ શરૂ

દેશી ચણા પરની આયાત જકાતમાંથી મુક્તિની અવધિમાં વધારો

સરકારે 31 માર્ચ, 2025 સુધી સ્વદેશી ચણાની આયાત ડ્યૂટી મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, 31 ઓક્ટોબર, 2024 ના રોજ અથવા તે પહેલાં જારી કરાયેલા 'બિલ ઑફ એન્ટ્રી' દ્વારા પીળા વટાણાની આયાત પરની ડ્યુટી મુક્તિમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 'બિલ ઑફ એન્ટ્રી' એ એક કાનૂની દસ્તાવેજ છે જે આયાતકારો અથવા કસ્ટમ ક્લિયરન્સ એજન્ટ દ્વારા આયાતી માલના આગમન પર અથવા તે પહેલાં ફાઇલ કરવામાં આવે છે. નાણા મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે ડુંગળી પર 40 ટકા નિકાસ ડ્યૂટી સહિત તમામ ફેરફારો 4 મેથી લાગુ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ