બ્રેકિંગ ન્યુઝ
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા
ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ
Last Updated: 04:12 PM, 4 May 2024
દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી વચ્ચે સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. પરંતુ બીજી તરફ લઘુત્તમ નિકાસ કિંમત (MEP) પ્રતિ ટન $550 નક્કી કરી છે. આ સિવાય સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી પણ લગાવી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ એક સૂચનામાં જણાવ્યું હતું કે, "ડુંગળીની નિકાસ નીતિમાં સુધારા કરી તાત્કાલિક અસરથી, અને બીજો આદેશ ન આવે ત્યાં સુધી $550 પ્રતિ ટનની MEP હેઠળ પ્રતિબંધથી મુક્ત કરવામાં આવી છે. આ સાથે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી નક્કી કરવામાં આવી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, ભારત સરકારે 31 ડિસેમ્બર, 2023 સુધી ડુંગળી પર 40 ટકા નિકાસ જકાત લાદી હતી.
ADVERTISEMENT
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ ક્યારે લાદવામાં આવ્યો?
સરકારે 8 ડિસેમ્બર, 2023 ના રોજ ડુંગળીની નિકાસ પર 31 માર્ચ, 2024 સુધી પ્રતિબંધ મૂક્યો હતો. માર્ચમાં નિકાસ પ્રતિબંધને લંબાવવામાં આવ્યો હતો. માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં 34.31 લાખ ટન, કર્ણાટકમાં 9.95 લાખ ટન, આંધ્રપ્રદેશમાં 3.54 લાખ ટન અને રાજસ્થાનમાં 3.12 લાખ ટન ઉત્પાદન ઘટ્યું છે. મહારાષ્ટ્રના ખેડૂતોએ નિકાસ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. ગયા મહિને કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકાર પર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને કારણે મહારાષ્ટ્રના ખેડૂતોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજસ્થાન થઇ જશે માલામાલ! આ જગ્યાએથી મળી આવ્યો સોનાનો અખૂટ ભંડાર? તપાસ શરૂ
દેશી ચણા પરની આયાત જકાતમાંથી મુક્તિની અવધિમાં વધારો
સરકારે 31 માર્ચ, 2025 સુધી સ્વદેશી ચણાની આયાત ડ્યૂટી મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, 31 ઓક્ટોબર, 2024 ના રોજ અથવા તે પહેલાં જારી કરાયેલા 'બિલ ઑફ એન્ટ્રી' દ્વારા પીળા વટાણાની આયાત પરની ડ્યુટી મુક્તિમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 'બિલ ઑફ એન્ટ્રી' એ એક કાનૂની દસ્તાવેજ છે જે આયાતકારો અથવા કસ્ટમ ક્લિયરન્સ એજન્ટ દ્વારા આયાતી માલના આગમન પર અથવા તે પહેલાં ફાઇલ કરવામાં આવે છે. નાણા મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે ડુંગળી પર 40 ટકા નિકાસ ડ્યૂટી સહિત તમામ ફેરફારો 4 મેથી લાગુ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT