બ્રેકિંગ ન્યુઝ
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા
ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ
Last Updated: 07:03 PM, 4 May 2024
IPL 2024ની શરૂઆત થઇ તે પહેલેથી જ મુંબઈ ઈન્ડિયન્સ હેડલાઈન્સમાં રહી છે. . અગાઉ આ ચર્ચા કેપ્ટનસીમાં ફેરફારની હતી, જેને હાર્દિક વિરુદ્ધ રોહિત તરીકે જોવામાં આવી હતી. અને હવે મુંબઈ ઈન્ડિયન્સ નવા કેપ્ટનના નેતૃત્વમાં ખરાબ પ્રદર્શનને કારણે ચર્ચામાં છે. ટીમની રમત અત્યાર સુધી એટલી ખરાબ રહી છે કે લીગની સૌથી સફળ ટીમનો ખિતાબ પોતાના નામે કરી રહેલી આ ટીમ હવે 17મી સિઝનમાંથી બહાર થઈ જવાના જોખમમાં છે.
ADVERTISEMENT
ખરાબ પ્રદર્શનનું કારણ શું ?
હવે સવાલ એ છે કે મુંબઈ ઈન્ડિયન્સના આવા ખરાબ પ્રદર્શનનું કારણ શું છે? જેના જવાબમાં દરેક લોકો કેપ્ટન હાર્દિક પંડ્યા તરફ આંગળી ચીંધી રહ્યા છે. દરેક વ્યક્તિ તેની કેપ્ટન તરીકે નિમણૂકને કારણે ટીમમાં બગડતા સંતુલનને ખરાબ રમતનું કારણ ગણાવી રહ્યા છે. પરંતુ, મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા પીયૂષ ચાવલાનું કહેવું કંઈક બીજું છે. સ્પિનર પીયૂષ ચાવલાએ હાર પાછળનું સાચું કારણ સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
ADVERTISEMENT
પીયૂષ ચાવલાએ મુંબઈ ઈન્ડિયન્સની હારનું કારણ જણાવ્યું
લેગ સ્પિનર પીયૂષ ચાવલાએ KKR સામે મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સની હારનું કારણ જણાવતા કહ્યું કે અમે ન તો બેટિંગની નિષ્ફળતાને કારણે હાર્યા ન તો બોલિંગની નિષ્ફળતાને કારણે.. અમે હારી ગયા કારણ કે અમે એક યુનિટ તરીકે નિષ્ફળ ગયા. તમારે સ્વીકારવું પડશે કે T20 ગતિની રમત છે. અને, અમે તે ગતિ હાંસલ કરવામાં નિષ્ફળ ગયા. આ દરેક ટીમ સાથે કોઇને કોઇ સમયે થાય છે. આવુ કોઈની પણ સાથે થઈ શકે છે.
આ પણ વાંચોઃ ચોથી વાર આવું બન્યું! MI vs KKR મેચમાં બન્યો ગજબ રેકોર્ડ, IPLની એક જ મેચમાં બંને ટીમો ઓલઆઉટ
KKR સામે હાર, આઉટ થવાનું જોખમ વધ્યું
IPL 2024 માં, 3 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ વાનખેડે ખાતે રમાઈ હતી, જ્યાં KKR 2012થી મુંબઈને હરાવી શક્યું નથી. પરંતુ, ઈતિહાસ પલટતા તેણે કુલ 24 રનથી જીત મેળવી.મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 169 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ પણ ઓલઆઉટ થઈ ગઈ હતી. કોલકાતાના બોલરોએ તેમને 145 રનમાં ઓલઆઉટ કરી દીધા હતા. આ રીતે આઈપીએલના ઈતિહાસમાં ચોથી વખત એવું બન્યું છે કે જ્યારે બંને ટીમો એક જ મેચમાં ઓલઆઉટ થઈ હોય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT